ઠંડીમાં ઠુઠવાઈ જતા મહિલાનું મોત? રેન બસેરા માત્ર શોભના ગાંઠિયા સમાન...?

  • January 17, 2023 09:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠડીમાં ઠુઠવાઈ જતા મહિલાનું મોત? રેન બસેરા માત્ર શોભના ગાંઠિયા સમાન...?


જામનગરના રણજીત રોડ પર ઠંડીમાં ઠુઠવાઈ જવાથી મહિલાનું મોત નીપજ્યું છે... જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી સિંગલ ડિજિટમાં તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે.... મહિલાનું ઠંડીના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે... પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી અને ઓળખ મેળવવાની તજવીત શરૂ કરી છે...

જામનગરમાં રણજીત રોડ પર પંજાબ નેશનલ બેંકની સામે યમુના અગરબત્તી પાસેથી આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે... આમ ઠંડીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાની વિગતો બહાર આવી છે અને જામનગરમાં ઠંડીના કારણે પ્રથમ મોત થયું છે....

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ રોડ રસ્તા પર ફૂટપાથ પર વસવાટ કરતા લોકોને રેન બસેરામાં રાખવામાં આવતા હોય છે જોકે આ વૃદ્ધ મહિલાનું મોત રેન બસેરા સામે પણ સવાલ ઊભા કરે છે કારણ કે આ મહિલાને રેન બસેરામાં રાખવામાં આવ્યું હોત તો તેનું મોત નીપજ્યું ન હોત આમ જામનગરમાં રેન બસેરા માત્ર શોભાના ગાંઠીયા સમાન બન્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application