સમલૈંગિકોને લગ્નની પરવાનગી નહીં, બાળક દત્તક લેવાનો અધિકાર નહીં
સમલૈંગિક યુગલોને રાશન કાર્ડમાં પરિવાર તરીકે સામેલ કરો
સ્ત્રી-પુરુષ ટ્રાન્સજેન્ડરને એકબીજા સાથે લગ્ન કરવાનો સુપ્રીમે આપ્યો અધિકાર
લડત આગળ ચાલુ રાખશે અરજદારો
સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપી નથી. કોર્ટે ૩-૨ની બહુમતીથી પોતાનો ચુકાદો આપતા કહ્યું કે તે વિધાનસભાનો અધિકારક્ષેત્ર છે. સુપ્રીમ કોર્ટે બાકીના નાગરિક અધિકારોની જવાબદારી કેન્દ્ર સરકાર પર નાખી છે. કોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો. શરૂઆતમાં જ્યારે ચીફ જસ્ટિસ ચંદ્રચુડે પોતાનો નિર્ણય વાંચવાનું શરૂ કર્યું ત્યારે સમલૈંગિકોને આશા હતી કે કદાચ તેમને બાળકો દત્તક લેવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ મંજૂરી પણ આપી નથી. જસ્ટિસ ચંદ્રચુડ સિવાયના અન્ય જજ બાળકોને દત્તક લેવાની મંજૂરી આપવા પર સહમત થયા નથી. અગાઉ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે સમલૈંગિકોને બાળકોને દત્તક લેવાની મંજૂરી આપવાનો વિરોધ કર્યો હતો. પંચે કોર્ટમાં કહ્યું હતું કે આ પ્રકારનો પ્રયોગ ન કરવો જોઈએ. સંશોધનના આધારે, એવી દલીલ કરવામાં આવી હતી કે સમલૈંગિક દ્વારા ઉછરેલા બાળકના માનસિક અને ભાવનાત્મક વિકાસમાં ઘટાડો થઈ શકે છે.
અરજદાર અંજલિ ગોપાલને નિર્ણય બાદ કહ્યું કે અમે આશાવાદી છીએ અને આ લડત આગળ પણ ચાલુ રાખીશું. બાળકને દત્તક લેવાનો નિર્ણય લઈ શકાયો હોત પણ એવું ન થયું. ચીફ જસ્ટિસે બહુ સારી વાત કહી. પરંતુ નિરાશાજનક વાત એ છે કે અન્ય ન્યાયાધીશો તેમની સાથે સહમત ન હતા.
પોતાનો નિર્ણય વાંચતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે સમલૈંગિકોને પણ દત્તક લેવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે આ એક સ્ટીરિયોટાઇપ છે કે હેટરો વધુ સારા માતાપિતા બનશે અને હોમો નહીં. કોણ વધુ સારા માતાપિતા છે અને કોણ નથી તેની આગાહી કરી શકાતી નથી. સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે સમલૈંગિકતા એ માત્ર શહેરી ખ્યાલ નથી. લગ્નની વિચારધારા બદલાઈ છે. આ ચર્ચા દર્શાવે છે કે લગ્નનું સ્વરૂપ સ્થિર નથી. લગ્નનું સ્વરૂપ સતી પ્રથાથી બાળલગ્ન અને આંતરજ્ઞાતિય લગ્નમાં બદલાઈ ગયું છે. વિરોધ હોવા છતાં લગ્નની વિચારધારામાં બદલાવ આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, 'એ કહેવું ખોટું છે કે લગ્ન એક સ્થિર અને અપરિવર્તનશીલ સંસ્થા છે. સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓમાં ફેરફાર કરવાની જરૂર છે કે કેમ તે અંસમલૈંગિક નિર્ણય સંસદે લેવાનો છે. કોર્ટે સાવચેત રહેવું જોઈએ કે કાયદાકીય ક્ષેત્રમાં પ્રવેશ ન કરે.
સિજેઆઇએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે સમલૈંગિક સમુદાય માટે સામાન હક અને સેવાઓની ઍક્સેસમાં કોઈ ભેદભાવ ન થાય અને સરકારને સમલૈંગિક અધિકારો વિશે જનતાને સંવેદનશીલ બનાવવાનો નિર્દેશ આપ્યો. સરકાર સમલૈંગિક સમુદાય માટે હોટલાઈન બનાવશે, 'ગરિમા ગૃહ' બનાવશે, હિંસાનો સામનો કરી રહેલા સમલૈંગિક યુગલો માટે સલામત ઘરો બનાવશે અને આંતરલૈંગિક બાળકોને ઓપરેશન કરાવવાની ફરજ ન પડે તે સુનિશ્ચિત કરશે.
તો જસ્ટિસ ભટ્ટે કહ્યું કે સમલૈંગિક લગ્નનો મુદ્દો કોર્ટના દાયરામાં નથી. સમલૈંગિક યુગલોને સરકારી લાભ મળવો જોઈએ. તેમને કાયદાનો લાભ પણ મળવો જોઈએ. સમલૈંગિક યુગલોના કાયદાકીય અધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે. રાજ્ય સરકાર જેન્ડર ન્યુટ્રલ કાયદો બનાવી શકે છે. લગ્ન કરવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી. સંઘના અધિકારનો ઉપયોગ કાયદા હેઠળ જ થઈ શકે છે. સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપી શકાય નહીં. આવી બાબતે રાજ્યે નિર્ણય લેવાનો છે. ટ્રાન્સજેન્ડર સમુદાયને સાથે રહેવાનો અધિકાર છે. જો કે, તેઓ બાળક દત્તક લેવાના નિર્ણય સાથે અસંમત છે. તેમણે કહ્યું કે સમલૈંગિક યુગલો બાળકોને દત્તક લેવા માટે લાયક નથી. આ દંપતી બાળકોને દત્તક લઈ શકતા નથી, આના પર ધ્યાન આપવાની જરૂર છે.
જસ્ટિસ ભટ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે લોકોની પસંદગી પર કાયદો મૌન છે. કાયદાના અભાવે સમલૈંગિક યુગલોને કાયદાકીય માન્યતા આપવામાં આવતી નથી. કાયદાના અભાવે કોર્ટ કલમ ૧૯(૧) લાગુ કરી શકતી નથી. યુગલો તેમની ઈચ્છા મુજબ સાથે રહી શકે છે. આ કલમ ૨૧માં સ્પષ્ટપણે લખાયેલું છે. પરંતુ હું મુખ્ય ન્યાયાધીશના નિર્ણય સાથે અસંમત છું. જસ્ટિસ ભટ્ટે કહ્યું કે તેઓ ચીફ જસ્ટિસના એનિર્ણય સાથે સહમત છે કે લગ્ન કરવાનો અધિકાર મૌલિક અધિકાર નથી. સંબંધોના અધિકારની પણ વહેંચણી કરવાની જરૂર છે. આમાં પસંદગીનો અધિકાર પણ છે. સમલૈંગિક યુગલોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થવું જોઈએ. કોર્ટ સંમત છે કે લગ્ન એક સંસ્થા છે. કોર્ટ આ મામલે કોઈ કાયદો બનાવી શકે નહીં.
આ મામલે જસ્ટિસ કૌલે કહ્યું કે સમાનતાનો અધિકાર વ્યક્તિની પસંદગી પર લાગુ થવો જોઈએ. હું સમલૈંગિક કપલ્સને સિવિલ યુનિયન તરીકે ઓળખું છું. હું મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના ચુકાદા સાથે સંમત છું. કોર્ટ બંધારણ પ્રમાણે ચાલે છે, સામાજિક માન્યતાઓ પ્રમાણે નહીં. તેમણે કહ્યું કે સમલૈંગિક યુગલોને માન્યતા આપવી કે નહીં તે નક્કી કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બંધારણીય બેંચે આ કેસની સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેન્ચે ૧૮ એપ્રિલથી કેસની સુનાવણી શરૂ કરી હતી. ૧૧મી મેના રોજ કેસની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં લગભગ ૨૦ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં સમલિંગી યુગલો, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ, એલજીબીટીક્યુંએ+નો સમાવેશ થાય છે.
અરજીમાં સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટની જોગવાઈઓને પડકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે આ મામલો સંસદની કોર્ટમાં રહેવો જોઈએ. અરજદારે કહ્યું કે આ મામલો મૂળભૂત અધિકારો સાથે જોડાયેલો છે અને આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ.
ચુકાદાના મહત્વના મુદ્દાઓ
આ કોર્ટને કેસની સુનાવણી કરવાનો અધિકાર છે.
સમલૈંગિકતાએ એક પ્રાકૃતિક ઘટના છે જે ભારતમાં સદીઓથી ચાલતી આવે છે. તે ફક્ત શહેરી વિચારધારા નથી.
એક સમિતિની રચના થવી જોઈએ જે સમલૈંગિક યુગલોને રાશન કાર્ડમાં પરિવાર તરીકે સામેલ કરવા, જોઈન્ટ બેંક ખાતા માટે નોમિનેશન, પેન્શન સંબંધિત અધિકારો સુનિશ્ચિત કરવા, ગ્રેચ્યુઈટી વગેરે મુદ્દાઓ પર વિચાર કરી નિયમ તૈયાર કરે.
અમે કાયદો બનાવી શકતા નથી, સરકારોએ આ ભેદભાવ ખતમ કરવો જોઈએ, એલજીબીટીકયુ સમુદાય સહિત તમામ લોકોને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર.
બાળકોને દત્તક લેવા માટે બનેલા તમામ કાયદા પરિણીત અને અપરિણીત લોકો વચ્ચે સરખા,સમલૈંગિક યુગલો બાળકોને દત્તક લઈ શકે છે.
જો કોઈ સમલૈંગિક કપલ પોતાના પરિવારમાં પાછા ફરવા માંગતા ન હોય તો તેમને દબાણ ન કરવું જોઈએ. સમલૈંગિક સમુદાયો કુદરતી છે, બાળકો પર પણ કોઈ જબરદસ્તી ન થવી જોઈએ.
સામાન અને સેવાઓની પહોંચમાં કોઈ ભેદભાવ ન થવો જોઈએ. કોઈપણ વ્યક્તિને કોઈપણ હોર્મોનલ ઉપચાર કરાવવા માટે દબાણ કરવામાં આવશે નહીં. લોકોને જાગૃત કરો.
સ્ત્રી-પુરુષ ટ્રાન્સજેન્ડરને એકબીજા સાથે લગ્ન કરવાનો અધિકાર છે.
સમલૈંગિક યુગલો માટે પોલીસ સ્ટેશનમાં કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech