નીતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે. સૂત્રો મુજબ શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 7 વાગ્યે યોજાશે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાંજે લગભગ પોણા પાંચ વાગે પટના પહોંચશે. તેઓ નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહ બાદ જેપી નડ્ડા ભાજપ કાર્યાલયમાં બેઠકમાં ભાગ લેશે. સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બન્નેને બિહારના ડેપ્યુટી CM બનાવામાં આવશે.
આજે બિહારની રાજનીતિમાં ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, છેલ્લા કેટલાક દિવસથી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ વચ્ચેના ખટરાગ બાદ નીતિશ કુમારે બીજેપીનો હાથ પકડ્યો છે. આજે નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સોપ્યું છે. તેઓ આજે સાંજે 4 વાગ્યે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે નીતિશ 9મી વખત રાજ્યના સીએમ બનશે.
હવે આ મામલે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસ નેતાએ નીતિશ કુમારને વારમવાર રંગ બદલાતા કાચીંડા સમાન ગણાવ્યા છે, તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ પક્ષ્પલટાથી પોતાની નારાઝગી વ્યક્ત કરી છે. તો આપના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech