ભાજપ સામે મોરચો માંડવા એક મહિનામાં બીજીવાર નીતીશ કુમાર અને કેજરીવાલની મુલાકાત

  • May 21, 2023 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતિશ કુમાર રવિવારે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર સામે વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસરૂપે દિલ્હીના cm અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. એક મહિનામાં નીતિશ અને કેજરીવાલ વચ્ચે આ બીજી મુલાકાત છે.

બિહારના મુખ્યમંત્રીએ કર્ણાટકમાં કોંગ્રેસના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના બેંગલુરુમાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યાના એક દિવસ બાદ આ બેઠક થઈ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમામ વિપક્ષી દળોને એકસાથે લાવવાના પ્રયાસોના ભાગરૂપે બિહારના મુખ્યમંત્રીએ 12 એપ્રિલે કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન કેજરીવાલે નીતીશના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેના પ્રત્યે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.

આ પહેલા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મનોજ ઝા દિલ્હીમાં બિહારના સીએમ આવાસ પર પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, વિપક્ષને એક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કારણ કે તે સમગ્ર દેશના હિતમાં હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application