રાજકોટ શહેરમાંથી એકત્ર કરવામાં આવેલો કચરાનો નિકાલ નાકરાવાડીમાં કરવામાં આવે છે. આ ડમ્પીંગ યાર્ડથી પર્યાવરણને નુકસાન થતું હોવાનું ફરિયાદ ઉઠી છે. નુકસાનનું વળતર ચૂકવવા રાજકોટના અરજદાર શૈલેન્દ્રસિંહ જાડેજાએ પુણેની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કરતા ટ્રિબ્યુનલે કલેકટર-પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે અને ડિસેમ્બર મહિનામાં વધુ સુનાવણી કરવામાં આવશે.
નાકરાવાડી ડમ્પિંગ યાર્ડથી પર્યાવરણને નુકસાનની ફરિયાદ ઉઠી છે અને આ નુકસાનના વળતર માટે NGTમાં ફરિયાદ નોંધાઈ છે. ડમ્પિંગ યાર્ડમાં 20 લાખ ટન કચરાનો ઢગલો પડ્યો છે જેનો RTIમાં ખુલાસો થયો છે. રાજકોટના જાગૃત નાગરિક શૈલેન્દ્રસિંહ જાડેજાએ NGTને ફરિયાદ કરી છે. નાકરાવાડીમાં કચરા નો પ્રોસેસીંગ પ્લાન્ટ વર્ષ 2012થી બંધ છે. કચરાના ઢગલાના કારણે આસપાસના વિસ્તારના લોકોના આરોગ્ય જોખમમાં મૂકાયા છે. કચરાના ઢગલાના કારણે જમીનના તળ પણ ખરાબ થઇ ગયા છે. GPCBએ મનપા અને કચરાના નિકાલનું કામ કરતી એજેન્સીને 11 શૉ કોઝ નોટિસ પાઠવી છે છતાં મનપા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech