૨૦૪ નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલીની માગણી મંજૂર: *શરતો લાગુ

  • July 12, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માગણી મુજબ ટ્રાન્સફર હોવાથી કોઈને જોઇનિંગ ટાઈમ કે ભાડા ભથ્થા નહીં મળે: સરકારની શરતો સ્વીકાર્ય છે તેવું બાહેંધરીખત કર્મચારીઓએ આપવું પડશે




રાજ્ય સરકાર દ્રારા આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં નાયબ મામલતદારોમાંથી મામલતદારોના પ્રમોશન આપવાના હોવાથી તે પૂર્વે માગણી મુજબ જિલ્લા ફેર બદલીનો ઘાણવો કાઢી નાખવામાં આવ્યો છે. જિલ્લા ફેર બદલીની કર્મચારીઓની માંગણીનો સરકારે સ્વીકાર તો કર્યેા છે પરંતુ અનેક શરતો લાદવામાં આવી છે અને સરકારની આ તમામ શરતો અમને મંજૂર છે તેવું બાંહેધરીખત આપ્યા પછી જ બદલીવાળી જગ્યાએ નિમણૂક આપવામાં આવશે.





ગુજરાત સરકારના મહેસુલ વિભાગે સૌરાષ્ટ્ર્રના ૨૫ સહિત રાયના ૨૦૪ નાયબ મામલતદારોની માગણી મુજબ જિલ્લા ફેર બદલી કરી છે. આ મુજબ રાજકોટમાંથી ત્રણ નાયબ મામલતદારો ગયા છે અને અન્ય જિલ્લામાંથી પાંચ નવા નાયબ મામલતદારોની રાજકોટ જિલ્લામાં એન્ટ્રી થઈ છે.





સામાન્ય રીતે બદલી પાત્ર કર્મચારીને જોઇનિંગ પિરિયડ અને ભાડા ભથ્થા આપવામાં આવતા હોય છે પરંતુ આ કિસ્સામાં તમામ ટ્રાન્સફર માગણી મુજબ થઈ હોવાના કારણે કોઈને જોઇનિંગ ટાઈમ કે ભાડા ભથ્થા આપવામાં નહીં આવે.




બદલીના હત્પકમોની સાથોસાથ સરકારે અનેક શરતો પણ લાગુ પાડી છે અને તેમાં જણાવ્યું છે કે બદલીવાળા જિલ્લામાં કોઈ પણ સ્થળે નિમણૂક આપવામાં આવશે અને આ બાબતમાં કર્મચારી કોઈ  તકરાર કરી શકશે નહીં. જિલ્લા ફેર બદલીના આ હત્પકમ પછી હવે કર્મચારીઓ અન્ય જિલ્લામાં બદલીની માગણી નવેસરથી રજૂ કરી શકે નહીં. કોઈ કારણસર જગ્યા કમી થવાના પ્રસંગોએ ફાજલ અથવા છુટા કરવાનો પ્રસગં ઉપસ્થિત થાય તો મૂળ જિલ્લામાં પાછા ફરવાનો આવા કોઈ કર્મચારીનો હક્ક દાવો રહેશે નહીં. આ શરતોનો કોઈ પણ રીતે ભગં થશે તો કર્મચારી સામે પગલાં લેવામાં આવશે. સરકારની આ તમામ શરતો પોતાને માન્ય છે તેવું બાહેધરીખત સંબંધિત કર્મચારીઓએ જે તે જિલ્લાના કલેકટર સમક્ષ આપવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application