અમદાવાદ : 10માં માળેથી 'ઘા' કરી નવજાત બાળકીની હત્યા, એપાર્ટમેન્ટના તમામ સભ્યોના થશે DNA ટેસ્ટ

  • April 19, 2023 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બાળકને ત્યજી દેવાના કે તરછોડાયેલી હાલતમાં ભ્રુણ મળ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે આ ઘટનાઓથી પણ હિચકારો બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. રાજ્યની આર્થિક રાજધાનીના જાણીતા વિસ્તાર ચાંદખેડામાં નવજાતની હત્યા થાય હોવાની ઘટના બની છે.


પ્રાપ્ત વિગતો મુજબ, ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટના દસમા માળેથી એક નવજાત બાળકીની હત્યા કરવામાં આવી છે. બનાવની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે પહોચ્યો હતો. હાલ સમગ્ર મામલે વિગતવાર તપાસ શરૂ કરાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોસાયટીના શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવે કે આ બાળક કોનું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application