જેતપુરમાં પાલિકાની બેદરકારીથી કાદવ કિચડનું સામ્રાજ્ય: લોકો ત્રાહિમામ

  • July 05, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦માં આવેલા, દાતારનગર, ગણેશનગર અને શિવકૃપાનગર વિસ્તારની સરખી સમસ્યા દર્શાવતી આ તસવીર છે. જેતપુરમાં થોડો વરસાદ થયો નથી કે આ વિસ્તારો જેતપુરથી સંપર્ક વિહોણા થઇ જાય છે કેમ કે વરસાદ થવાના કારણે આ વિસ્તારના કાચા રસ્તાઓ કિચડ-કિચડ થઇ જાય છે. જેને કારણે વિદ્યાર્થીઓ, સગર્ભા મહિલાઓ, બીમાર વૃધ્ધો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકો વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે. નગરપાલિકા અને તાલુકા સેવા સદનના અધિકારીઓએ આ વિસ્તારની સાચી પરિસ્થિતિ જાણવા માટે ચાલુ વરસાદમાં આ વિસ્તારોની મુલાકાત લેવી જોઇએ. તેવી આ વિસ્તારના લોકો દ્વારા, લોકો માટે, લોક માગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application