સાંસદ ડો.ભારતીબેન શિયાળે "ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન"ને લીલી ઝંડી બતાવીને શુભારંભ કર્યું

  • September 05, 2023 12:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aaajkaal@team

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનથી 04.09.2023 (સોમવાર ના રોજ) મેયર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કીર્તિબેન દાણીધારિયા અને સાધુ સંતોં ની ગરિમામયી ઉપસ્થિતિમાં સાંસદ-ભાવનગર ડો. ભારતીબેન ડી. શિયાળ દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર  માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19271 ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર સોમવારે રાત્રે 20.20 કલાકે ઉપડશે અને બુધવારે સવારે 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19272 હરિદ્વાર-ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 06.09.2023 થી દર બુધવારે સવારે 05.00 કલાકે હરિદ્વારથી ઉપડશે અને ગુરુવારે બપોરે 12.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર  રવીશ કુમાર સહિત મંડળના અન્ય અધિકારીઓ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ, સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર રામરાજ મીના, સિનિયર ડિવિઝનલ ઑપરેશન્સ મેનેજર અભિનવ જેફ, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર  તરુણ કુમાર, સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રમેશકુમાર મીના અને કર્મચારીઓ સાથે સ્થાનિક જનતા, રેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હરિદ્વાર સુધીની ટ્રેન શરૂ થવાને લઈને રેલવે મુસાફરો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ રેલવે પ્રશાસન અને તેમના સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application