ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ વચ્ચે દુકાળ જેવી સ્થિતિ, ભોજનનો પૂરવઠો ગાઝા પહોંચતા ઇઝરાયેલી દળો દ્વારા રોકવામાં આવ્યો હોવાનો દાવો
ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ હજુ પણ અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. આ યુદ્ધને કારણે ગાઝામાં ફરી એકવાર માનવીય સંકટ ઉભું થયું છે. ઉત્તર ગાઝામાં આ દિવસોમાં દુકાળ જેવી સ્થિતિ છે. ૨૩ જાન્યુઆરીથી, કોઈ માનવીય સહાય ઉત્તર ગાઝાના લોકો સુધી પહોંચી શકી નથી, જો આમ જ પરિસ્થિતિ રહી તો ગાઝાના લોકો ભૂખમરાનો શિકાર પણ બની શકે છે, આ ચેતવણી મંગળવારે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવી હતી. ગાઝા પટ્ટીમાં ગંભીર માનવતાવાદી કટોકટીના ઉદભવથી, ત્યાંની મુખ્ય યુએન સહાય એજન્સી તેની સાથે સંપર્ક કરવા માટે સતત સંઘર્ષ કરી રહી છે. તેમણે અન્ય લોકોને પણ કહ્યું છે કે, તેઓ પેલેસ્ટિનિયનોને અત્યંત જરૂરીયાતમાં મદદ કરે.
યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ મૌરિઝિયો માર્ટિનાએ ચેતવણી આપી હતી કે ગાઝામાં લગભગ ૯૭ % ભૂગર્ભજળ પીવાલાયક નથી, જેથી કૃષિ ઉત્પાદનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. દરમિયાન, યુએન સેક્રેટરીના પ્રવક્તા- જનરલ એન્ટોનિયો ગુટેરેસે મંગળવારે કહ્યું કે સહાય તૈયાર છે અને સરહદ પર ગાઝા જવાની રાહ જોઈ રહી છે. સ્ટીફન ડુજારિકે મીડિયાને કહ્યું, "ડબ્લ્યુએફપી ભાગીદારોએ અમને એ પણ કહ્યું છે કે તેમની પાસે ગાઝાની સરહદ પર ખોરાકનો પુરવઠો છે, પરંતુ ચોક્કસ શરતો હેઠળ તેઓ સમગ્ર પટ્ટીમાં ૨.૨ મિલિયન લોકોને ખોરાક પહોંચાડવામાં સક્ષમ હશે. તેમણે વધુમાં કહ્યું કે, "લગભગ ૧૫,૦૦૦ મેટ્રિક ટન ખાદ્યપદાર્થો વહન કરતી ૧૦૦૦ ટ્રક ઇજિપ્તમાંથી પસાર થવા માટે તૈયાર છે." જયારે ઓસીએચએના પ્રવક્તા જેન્સ લાર્કે મંગળવારે જીનીવામાં જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળો તેમને ગાઝા પહોંચતા અટકાવી રહ્યા હતા.
ઈઝરાયેલના અધિકારીઓએ તાજેતરમાં ઉત્તરી ગાઝામાં કોઈપણ પ્રકારની સહાય મોકલવાનો ઈન્કાર કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ગાઝામાં સહાય મોકલવાની છેલ્લી પરવાનગી ૨૩ જાન્યુઆરીએ આપવામાં આવી હતી. દરમિયાન, ગાઝામાં યુએનની મુખ્ય સહાય એજન્સી, યુએનઆરડબ્લ્યુએ, ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે સહાય મોકલનારાઓએ ભંડોળ કાપી નાખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech