દક્ષિણ આફ્રિકાથી વધુ ૧૨ ચિત્તા કુનો પાલપુરનાં જંગલમાં પહોંચશે

  • February 17, 2023 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાત નર અને પાંચ માદા ચિત્તાઓ લાવવામાં આવશે: કુલ ૨૦ ચિત્તાઓ થશે



દક્ષિણ આફ્રિકા ૧૨ ચિત્તા કાલે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક પહોંચશે. ચિત્તા દક્ષિણ ભારતીય વાસુસેનાના પરિવહન વિમાન દ્રારા પહેલા ગ્વાલીયર પહોંચશે જયાંતી તેમને વાયુસેનાના હેલિકોપ્ટર દ્રારા કુનો મોકલવામાં આવશે. વન–પર્યાવરણ મંત્રાલયે તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.




કેન્દ્રીય વન–પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે બીજી વખત આવી રહેલા ચિત્તાઓના સ્વાગત માટેની તૈયારી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, સાત નર અને પાંચ માદા ચિત્તાઓને ભારત લાવવામાં આવશે જેને એક મહિના માટે કવોરોન્ટાઈન કરવામાં આવશે. ત્યારબાદ એનકલોજરમાં રાખવામાં આવશે અધિકારીઓએ જણાવ્યું કે, કવોરોન્ટાઈન દરમિયાન ચિત્તાઓને ભોજન વન વિભાગ ઉપલબ્ધ કરાવશે જયારે એસ્કલોજરમાં ચિત્તાઓ પોતે શિકાર કરશે આ પહેલા નાબિયાથી આઠ ચિત્તા કુનો લાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application