જામનગરમાં PM નરેન્દ્ર મોદીના રાત્રી રોકાણના પગલે તંત્રની તડામાર તૈયારીઓ શરૂ...
હાલારની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 24 અને 25 મી ફેબ્રુઆરીએ પધારી રહ્યા છે, ત્યારે જામનગર સર્કિટ હાઉસ ખાતે તારીખ 24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રિ રોકાણના પગલે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે.
હાલારની ધરતીને સદીઓથી જે સુવિધાનો ઇન્તજાર હતો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એક સ્વપ્ન હતું કે બેટ દ્વારકા ખાતે દરિયામાં સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવે અને આ સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે, ત્યારે આગામી 25મી ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ દ્વારકા ખાતે વડાપ્રધાન દ્વારા જંગી સભાને સંબોધવામાં આવશે. તે અગાઉ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન જામનગર ખાતે સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.
તારીખ 24 મી ફેબ્રુઆરીના રોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણના પગલે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા આજે સર્કિટ હાઉસ ખાતે અને જામનગર એરફોર્સ કે જ્યાં વડાપ્રધાનનું હવાઈ ઉતરાણ થવાનું હોય અને ત્યાંથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસના જુદા જુદા વિભાગોની રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે મુલાકાત લીધી અને વડાપ્રધાનના કોન્વે કાફલાના રૂટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમયે જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલું સહિતનો કાફલો તેમની સાથે ઉપસ્થિત રહ્યો. જ્યારે સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનના રાત્રી રોકાણને પગલે સર્કિટ હાઉસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ કિલેબંધિમાં ફેરવવામાં આવશે.
જોકે વડાપ્રધાન જામનગર રાત્રી રોકાણના સમયે એરફોર્સથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર રોડ-શો કરશે તેવી ચર્ચાઓ પણ જાગી છે. પરંતુ તંત્ર દ્વારા વડાપ્રધાનના રોડ શો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંના જણાવ્યા અનુસાર PM ના રાત્રી રોકાણ સિવાયના સરકાર દ્વારા નવા કાર્યક્રમોની સૂચના મળ્યા બાદ મિડિયા સમક્ષ જાણ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech