બોલિવૂડ એક્ટર આર માધવન પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેતા પેરિસમાં બેસ્ટિલ ડેની ઉજવણીનો ભાગ બન્યો હતો. 14 જુલાઈ 2023 ના રોજ પેરિસમાં આ વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આર માધવન માટે આ ઈવેન્ટ ખૂબ જ ખાસ હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું હતું.
આ ડિનર પીએમ મોદી માટે ખાસ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ ડિનર પર આર માધવનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અભિનેતાએ પોતે આ પ્રસંગની ઘણી તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ ઉપરાંત તેણે તેની અદ્ભુત સાંજને યાદ કરીને એક હૃદય સ્પર્શી પોસ્ટ પણ કરી છે.
આર માધવને શેર કરેલી તસવીરમાં તે પીએમ મોદીનો હાથ પકડેલો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ડિનર ટેબલ પર બેઠેલા જોવા મળે છે. અને કેટલીક તસવીરોમાં સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે. અભિનેતાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
અભિનેતાની પોસ્ટ અનુસાર, લુવર ખાતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિભોજનમાં, બંને વિશ્વ નેતાઓએ આ બે મહાન મિત્ર રાષ્ટ્રોના ભવિષ્ય માટે ઉત્સાહપૂર્વક તેમના વિઝન રજૂ કર્યા. આર માધવને પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની પણ પ્રશંસા કરી છે અને બંનેનો આભાર માન્યો છે. આ સાથે, અભિનેતાએ બંને દેશોના ઉજ્જવળ ભવિષ્ય વિશે લખ્યું. આર માધવનની પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું વર્તન પણ પ્રશંસનીય હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech