જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કે જેઓ ધુળેટીના પર્વ નિમિત્તે મંગળવાર તા ૮.૩.૨૦૨૩ ના સવારે ૯.૩૦ વાગ્યે જામનગરની આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા, અને વડીલોની સાથે રહીને ધુળેટી નું પર્વ ઉજવ્યું હતું,
ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઈ પોતાના પરિવાર અથવા તો મિત્ર વર્તુળ ને બદલે આ વખતે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત બેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા મુકબધીર બાળકોની સાથે ધુળેટી રમીને રંગોત્સવના પર્વની ઉજવણી કરી હતી.
આ અનોખી ઉજવણીમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબર ની સાથે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા અને પ્રકાશભાઈ બાંભણિયા, ઉપરાંત કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, કેતનભાઇ નાખવા, પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ સહિતના હોદ્દેદારો જોડાયા હતા, અને વડીલોની સાથે હોળી રમી તેઓના આશીર્વાદ મેળવી પ્રત્યેકના મીઠા મોઢા કરાવાયા હતા.
ઉપરાંત મુકબધિર બાળકો ની સાથે પણ હોળી રમી તેઓના જીવનમાં રંગ ભરવાના પ્રયાસ કરાયો હતો. જેથી વડીલો અને બાળકો પણ ખુશખુશાલ બન્યા હતા અને સર્વે મહાનુભાવોની સાથે ઓતપ્રોત થઈને ધુળેટી નું પર્વ મનાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech