સામાન્ય ચૂંટણી પહેલા મહાગઠબંધનનો પાયો નાખવાની દિશામાં એક મોટું પગલું
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનજીર્ને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર વિદ્ધ વિપક્ષી દળોને એક કરવા માટે મળશે. નીતિશ કુમારનો આજે લખનૌમાં સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મળવાનો પણ કાર્યક્રમ છે. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા નીતીશ કુમારે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ દેશમાં ભાજપ વિરોધી દળોને એક કરવા માટે અભિયાન શ કરશે. નીતિશ કુમારે પટનામાં એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે 'હત્પં બહાર જઈશ પછી તમને બધાને ખબર પડશે'.
અગાઉ એવા અહેવાલ હતા કે નીતિશ કુમાર ૨૫ એપ્રિલે મમતા બેનજીર્ને મળી શકે છે. પરંતુ નીતિશ કુમાર આજે જ રાય સચિવાલય 'નબન્ના' સ્થિત તેમના કાર્યાલયમાં મમતા બેનજીર્ને મળવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવાની રણનીતિ બનાવવા માટે બંને નેતાઓ વચ્ચે બધં બારણે બેઠક થવાની સંભાવના છે. મમતા બેનર્જીએ ગયા મહિને જ અખિલેશ યાદવ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે આવી જ બેઠકો કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ સાંસદ રાહત્પલ ગાંધીને મળવા માટે નવી દિલ્હી ગયા પછી, નીતિશ કુમાર હવે મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સાથે મુલાકાત કરવાના છે.
આ બેઠકને આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા મહાગઠબંધનનો પાયો નાખવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે ખડગેના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ હાજર હતા. બિહારમાં મહાગઠબંધનના વરિ નેતાએ અખિલેશ યાદવ સાથે કુમારની નિર્ધારિત બેઠકની પુષ્ટ્રિ કરતા કહ્યું કે તેજસ્વી યાદવ પણ નીતિશ કુમાર સાથે લખનૌની મુલાકાત લે તેવી શકયતા છે. કોંગ્રેસના વરિ નેતા હરીશ રાવતે પટનામાં નીતિશ કુમાર સાથે મુલાકાત કરી અને તેમની સાથે લાંબી ચર્ચા કરી. કહેવામાં આવી રહ્યું છે કે આ પછી નીતિશ કુમારે આવતા મહિને પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે વાતચીત શ કરવાની પોતાની યોજના બદલી છે. . આ બેઠક બાદ રાવતે કહ્યું હતું કે બે નેતાઓની મુલાકાત દરમિયાન માત્ર રાજકીય વાતો જ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech