ભાવનગર અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરનાં પાટોત્સવ પ્રસંગે મહાપૂજા વિધિ સંપન્ન

  • May 15, 2023 12:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરનાં અક્ષરવાડી રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 17માં પાટોત્સવ નિમિતે પંચદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવિવારનાં રોજ સંસ્થાના સદગુરૂવર્ય ઘનશ્યામબાપાની ઉપસ્થિતીમાં મહાપૂજાની વિધિ સંપન્ન થઇ હતી. આ મહાપૂજાની વિધિમાં 400  કરતાં વધારે હરિભક્તોએ લાભ લીધો હતો.


આ મહાપૂજાની વિધિ બાદ સારંગપુરની સંગીત શાળાનાં સંગીતજ્ઞ સંતો દ્વારા ખુબ જ સુંદર કીર્તન ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર કીર્તન ભક્તિ દ્વારા શહેરના ભાવિક ભક્તો રસ તરબોળ થયાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application