એનીમલ સેલ્ટરહોમની મુલાકાત લેતાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ

  • March 01, 2023 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરની બહાર એનિમલ સેલ્ટર હોમ બનાવવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા નાયબ કમિશનર ભાવેશ જાની દ્વારા સાઇટ વિઝીટ કરવામાં આવી હતી.


જામનગર મહાનગરપાલિકાના કમિશનરના આદેશ અનુસાર રણજીતસાગર ડેમ પાસે એનિમલ સેલ્ટરહોમ બનાવવાનું હોય જે સંદર્ભે તાજેતરમાં નાયબ કમિશનર ભાવેશભાઈ જાની દ્વારા આણંદાબાવા આશ્રમના મહંત પ.પૂ. શ્રી દેવપ્રસાદજી મહારાજની સાથે એનિમલ સેલ્ટરહોમ બનાવવાનું હોય જે સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી, આ તકે નાયબ કમિશનર તેમજ પૂ. મહંતશ્રીના માર્ગદર્શન મુજબ તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા સિવિલ શાખાના ઇજનેર તેમજ કર્મચારીઓને સુચના આપવામાં આવી હતી.


જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા હોય જેમાં લાલ બહાદુર શાસ્ત્રીનગર ખાતે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી તેમજ શુભમ રેસીડેન્સી ખાતે સી.સી. રોડની કામગીરી પ્રગતિ હેઠળ હોય આ કામગીરીની સિવિલ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ પાઠક દ્વારા સાઇટ વિઝીટ કરવામાં આવી હતી, વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application