જામનગરના ખોડલ ગ્રીન્સમાં શ્રી ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવસનું આયોજન કરાયું હતું. જેમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલનું રક્તતુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
મોટીસંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનું 192થી વધુમી વખત રક્તતુલા કરવામાં આવી છે.
જામનગર શહેરમાં અગાઉ પણ ઘણી વખત ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની રક્તતુલા થઈ ચૂકી છે. ત્યારે ફરી વખત શ્રી ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા ત્રિ દિવસીય મહોત્સવ દરમિયાન રક્તતુલના કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં ખોડલ ગ્રીન્સમાં ખોડલ માતાજીના ત્રિ દિવસીય મહોત્સવનો તારીખ 27-1-2023થી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તારીખ 29-1- 2023 એ પૂર્ણાહુતિ છે. ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીગણેશ પૂજા, પુગ્મહુવાચન, માતાજીનું સામૈયુ, ગ્રહ હોમ, જલા દિવાસ, ધાન્યા દિવાસ, સ્નપન, સય ધિવાસ, સાંચ પૂજન, રક્તતુલા, આરતી, મહાપ્રસાદ,ગણેશાદિ સ્થાપિત, દેવોનું પ્રાત પૂજન, પ્રતિષ્ઠા વિધિ, કળશ-ધજા,મહાપુજા,આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત થવાના હતા, જેથી તેમનું સન્માન રક્તતુલાથી કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની 192મી વખત રક્તતુલા જામનગર ખાતે કરવામાં આવી હતી.
ખોડીયાર માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલની રક્તતુલા કરાઈ હતી. જેમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, લેવા પટેલ સમાજના પ્રમુખ મનસુખ રાબડિયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, સ્ટે. કમિટીના ચેરમેન મનીષ કટારીયા તેમજ નગરસેવકો પાર્થ કોટડીયા, ગોપાલભાઈ સોરઠીયા, પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જયેન્દ્ર મુંગરા અને શ્રી ખોડીયાર માતાજી મંદિર જે સાનિધ્યમાં બની રહ્યું છે તેવા ખોડલ ગ્રીન્સના અશ્વિનભાઈ વિરાણી, રાજુભાઈ વિરાણી, ભાવેશભાઈ ગાગીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech