સરકારના ચોપડે ચોમાસુ બેસવાની સાથે જ 16 જુન થી 15 ઓક્ટોબર સુધી સાસણ અને જુનાગઢ ગિરનારની જંગલ સફારી બંધ રહેશે. ગત વર્ષે જંગલ સફારીમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ સફારીની મુલાકાત લીધી હતી.એશિયાઈ સિહોના નિવાસસ્થાન એવા સાસણમાં સિંહ દર્શન માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. તેમાંય ખાસ કરીને વેકેશન અને તહેવારના દિવસોમાં આ સંખ્યા બમણી થઈ જાય છે જંગલ સફારી માટે દરરોજની 150 પરમિટ કાઢવામાં આવે છે તહેવાર કે સપ્તાહના અંતિમ દિવસોમાં 180 સુધી પરમીટ કાઢવામાં આવે છે તમામ પરમિટ માત્ર ઓનલાઈન જ નીકળે છે.
જંગલ સફારીના તમામ રસ્તા કાચા છે અને ચોમાસાની ઋતુમાં વરસાદ જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતો હોય છે. નદીનાાળામાં ધોડાપુર આવે છે પરિણામે રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે જંગલના રસ્તાઓ કાદવ કિચડ થવાથી વાહન ચલાવવાની મુશ્કેલી થાય છે.સિંહ સહિતના મોટા વન્ય પ્રાણીઓની ચોમાસાની સિઝનમાં સંવનન કાળ હોય છે આવા કારણોસર પશુઓ હિંસક બની જતા હોય છે પરિણામે આ દિવસો દરમિયાન જંગલ સફારી બંધ રાખવામાં આવે છે.
અત્રે નોંધવું જરૂરી છે કે ચોમાસાની સિઝન દરમિયાન જંગલની સફારી બંધ થાય છે પરંતુ સાસણની નજીક આવેલા દેવળિયા સફારી પાર્ક અને ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે. જો ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સમયે જ દેવળિયા અને આંબરડી સફારી પાકને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે. સાસણમાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જંગલ સફારીની પરમિટ મર્યિદિત છે પરંતુ દેવળીયા સફારી પાર્કમાં સિંહ સહિતના તમામ વન્ય પ્રાણીઓ જોવા મળે છે તેવી વ્યવસ્થા છે જેના કારણે જંગલ સફારી એટલે કે ખુલામાં સિંહ જોવાની પરમિટ ન મળે અથવા પરમિટ મળ્યા બાદ જંગલમાં સિંહ ન મળે તેવા લાખો લોકો દેવળીયા સફારી પાર્કમા સિહદર્શન કરતા હોય છે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ થી જંગલ સફારી ઉભરાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech