જામજોધપુરના ભોજા બેડી ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું

  • February 14, 2023 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામે ખાણ વિસ્તારની સીમમાં આદમ ભાઈના ખેતરમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે આજુબાજુના વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે...
વન વિભાગની ટીમ દ્વારા દિપડાને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે....

થોડા દિવસો પહેલા પાણાની ખાણમાંથી દીપડાના પગલાંના નિશાન મળી આવ્યા હતા... જો કે કોઈ જાનમાલને નુકસાન પહોંચાડે તે પહેલા દીપડાને પાંજરે પુરવો જરૂરી બન્યું છે

હાલ વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application