મેલેરિયાની વેક્સીન બનાવવા પર મોટા પાયે કામ શરુ : પૂનાવાલા 

  • March 11, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નિયત સમય પર ચાર મહિનામાં આખા દેશને અપાશે વેક્સીન : વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ડેન્ગ્યુની રસીનું પણ પરીક્ષણ શરુ 


એક અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે મલેરિયાને કારણે 2 લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ ગંભીર બીમારીની અસર સૌથી વધુ બાળકો પર થાય છે. ત્યારે હવે વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પૂનાવાલાએ કહ્યું કે, કોરોના વેક્સીન બાદ કંપની હવે મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા વધારી છે.
​​​​​​​


મેલેરિયાએ એક પ્રકારનો ચેપી રોગ છે. જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. જ્યારે આ માદા મચ્છર વ્યક્તિને કરડે ત્યારે વ્યક્તિના શરીરમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા છોડે છે, જેને મેડિકલ ભાષામાં પ્લાઝમોડિયમ કહેવામાં આવે છે. ત્યારબાદ વ્યક્તિના લોહીમાં આ વાયરસ ભળીને અનેક ગણો વધારો કરે છે, જેની સીધી અસર વ્યક્તિના લીવર અને રક્તકણો પર પડે છે. હાલ આ સીરમ સંસ્થા કોરોનાની કોવિશિલ્ડ રસી બનાવે છે. માંગના અભાવને કારણે, ઓછી એન્ટિ-કોરોનાવાયરસ રસી બનાવવામાં આવી રહી છે. કંપની હવે મેલેરિયાની રસી બનાવવા માટે તેની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરશે.

પૂનાવાલાએ કહ્યું કે, જો ભવિષ્યમાં ક્યારેય રોગચાળો આવે તો સમગ્ર ભારતમાં માત્ર ત્રણથી ચાર મહિનામાં જ રસીકરણ થઈ શકે છે. તેમણે કહ્યું કે કંપની પાસે મેલેરિયાની રસીના ૧૦ કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા છે. જો માંગ વધે તો તેમાં વધુ વધારો કરી શકાય છે. દર વર્ષે લાખો લોકો ડેન્ગ્યુ અને મેલેરિયાનો શિકાર બને છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે મેલેરિયાની રસી અંગે ટેક્નોલોજી ટ્રાન્સફર ડીલને બદલે રસીની નિકાસ પર ભાર આપવામાં આવશે. ડેન્ગ્યુની રસીનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application