લેપ્રોસ્કોપીક, પેટ-આંતરડા તથા લીવર, સ્વાદુપિંડ, પીતાશયના નિષ્ણાંત સર્જન મંગળવારે જામનગરમાં
અત્યાર સુધી અનેક સફળ સર્જરી કરનાર નિષ્ણાંત તબીબ ડો.દર્શન પટેલ ઓપીડી યોજશે, ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની નિઘન સેવાનો લાભ
લેપ્રોસ્કોપીક, પેટ-આંતરડા તથા લીવર, સ્વાદુપિંડ, પીતાશયના નિષ્ણાંત સર્જન ડો. દર્શન પટેલ આગામી મંગળવારે જામનગરમાં ઓપીડી યોજવાના છે. જેથી જામનગરવાસીઓને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની નિદાન સેવાનો લાભ મળવાનો છે.
રાજકોટની ખ્યાતનામ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા લેપ્રોસ્કોપીક, પેટ- આંતરડાની સર્જરી તથા લીવર, સ્વાદુપિંડ, પીતાશયના નિષ્ણાંત ડો. દર્શન પટેલ- એમએસ, એફએમએએસ, એફઆઇએજીઇએસ, ડીએનબી(સર્જીકલ ગેસ્ટ્રોન ટેરોલોજી) હવે દર મહિનાના ત્રીજા મંગળવારે જામનગરમાં ઓપીડી યોજવાના છે. જે અંતર્ગત તેઓ તા. ૧૫-૦૮-૨૦૨૩ મંગળવારે ડો. વી.એમ.શાહની શારદા હોસ્પીટલ, સુમેર કલબ રોડ, જામનગર ખાતે સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૩૦ દરમિયાન ઓપીડી યોજશે.
ડો. દર્શન પટેલે એમ.બી.બી.એસ અને એમ.એસ. - જનરલ સર્જરી બી.જે. મેડિકલ કોલેજ, અમદવાદમાંથી જ્યારે ડી.એન.બી. - સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી એપોલો હોસ્પિટલ, ચેન્નાઈથી કર્યું છે. ઉપરાંત તેઓએ ૨૦૧૩માં એફ.એમ.એ.એસ. મિનિમલ એક્સેસ સર્જરીમાં ફેલોશિપ સરકારી મેડિકલ કોલેજ, સુરતથી મેળવી છે. ૨૦૧૭માં એફ.આઈ.એ.જી.ઈ.એસ.- ઈન્ડિયન એસોસિએશન ઓફ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ એન્ડો સર્જન્સની ફેલોશિપ એસઆરએમસી મેડિકલ કોલેજ, ચેન્નાઈમાંથી કરી છે. જ્યારે ૨૦૧૦-૧૧માં એમ.સી.એચ. સિનિયર રેસીડેન્સી સરકારી મેડિકલ કોલેજ, સુરતથી મેળવી છે.
તેઓ એચ.પી.બી. સર્જરી : લીવર, સ્વાદુપિંડ અને પિત્તરસ સંબંધી માર્ગ/ પિત્તાશયની સર્જરી, જી.આઈ.: ગેસ્ટ્રો-આંતરડાની સર્જરી, જી.આઈ. અને એચ.પી.બી. કેન્સર સર્જરી, મિનિમલ્લી ઈન્વેસિવ સર્જરીઃ એડવાન્સ જી.આઈ. લેપ્રોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી, પેટની ટ્રોમા સર્જરી અને કોમ્પ્લેક્સ તથા રી-ઓપરેટિવ જી.આઈ.સર્જરીના નિષ્ણાંત છે.
ઓપીડી તા. તા. ૧૫-૦૮-૨૦૨૩ મંગળવાર સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૩૦ દરમ્યાન ડો.વી.એમ.શાહની શારદા હોસ્પીટલ, સુમેર કલબ રોડ, જામનગર ખાતે ઓપીડી યોજાશે. નામ લખાવવા તેમજ વધુ માહિતી માટે મો. ૯૫૭૪૦ ૦૦૬૯૬ નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech