જામનગરના પટેલ કોલોની શેરી નં. ૯ના છેડે શાંતીનગર-૩ વિસ્તારમાં મકાન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી નહી કરનાર આ વિસ્તારમાં રહેતા ગરાસીયા શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે.
જામનગરના જી.જી. હોસ્પીટલ પાછળ તેજપ્રકાશ સોસાયટીમાં રહેતા નિવૃત જીવન જીવતા ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.૭૫) નામના વૃઘ્ધે સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે પટેલ કોલોની શેરી નં. ૯ના છેડે શાંતીનગર શેરી નં. ૩માં રહેતા ઋષીરાજસિંહ તખુભા જાડેજા નામના શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતીબંધીત) વિધેયક ૨૦૨૦ની કલમ ૪(૩), ૫(ગ) મુજબ ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ ફરીયાદીના માતાએ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. ૯ના છેડે શાંતીનગર-૩ વિસ્તારમાં વોર્ડ નં. ૧૨, સીટ નં. ૫૮, સીટી સર્વે નં. ૬૦૬૪, ક્ષેત્રફળ ૧૮૫.૨૯ પાકા બાંધકામ, ગીતા નિવાસ નામવાળુ મકાન ખરીદ કર્યુ હતું.
જે મકાન ફરીયાદીને તેના માતાના વારસાઇમાં મળેલ હોય જે મકાનનો કબ્જો ઋષીરાજસિંહ જાડેજાએ ગેરકાયદે અને અનઅધિકૃત રીતે મિલકત પચાવી પાડવાના ઇરાદે કબ્જો રાખી અને આ મકાનનો કબ્જો ખાલી નહીં કરતા આખરે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો.
જુલાઇ-૨૦૨૨થી આજ સુધીના સમય દરમ્યાન આરોપીએ કબ્જો જમાવ્યો હતો અને એ પછી મકાન ખાલી નહીં કરતા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ દાખલ થતા આગળની તપાસ શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડામરના ૩,૩૧૪ સેમ્પલમાંથી ફકત ૪૦ ફેઇલ: કમિશન
September 20, 2024 04:46 PMસાવધાન: ડાયાબિટીસને કારણે બની શકો છો અંધ, જાણો કઈ બાબતોનું રાખવું જોઈએ ખાશ ધ્યાન
September 20, 2024 04:42 PMશહેરના બાર્ટન લાઈબ્રેરી નજીક ઈદના ઝુલુસ દરમ્યાન બે સગા ભાઈઓ પર ૫ શખ્સોનો હુમલો
September 20, 2024 04:30 PMભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ પોરો ખાધો
September 20, 2024 04:29 PMશિવાજીસર્કલ અને રીંગરોડ પર મ્યુ. તંત્રનો સપાટો
September 20, 2024 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech