પીઠડીયા ગામની શ્રમીક મહિલાને શ્ર્વાસ ચડ્યા પછી મૃત્યુ

  • July 18, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના પીઠડીયા ગામની શ્રમિક મહિલાને શ્ર્વાસ ચડ્યા પછી મૃત્યુ થયું છે.


કાલાવડ તાલુકાના પીઠડીયા-૪ ગામમાં રહેતી અને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્ય પ્રદેશની વતની લીલાબેન કાલેશભાઈ વાખલા નામની ૩૦ વર્ષની આદિવાસી મહિલાને ગઈકાલે પોતાની વાડીમાં હતા ત્યારે એકાએક શ્ર્વાસ ચડ્યો હતો, અને બેશુદ્ધ બની હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
​​​​​​​
 આ બનાવ અંગે મૃતકના પતિ કાલેશભાઈ મોગજીભાઈ વાખલાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application