નવાગામ ઘેડમાં શ્રમિક યુવાનનો આર્થિક સંકળામણથી આપઘાત

  • March 28, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા એક શ્રમિક યુવાને આર્થિક સંકળામણ ના કારણે પોતાની જિંદગી ટૂંકાવી છે.


જામનગરમાં નવાગામ ઘેડ-ખડખડનગરમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા દેવરામભાઈ નારણભાઈ ડાભી નામના ૩૦ વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર સીલીંગ ફેન માં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 


બનાવ અંગે મૃતકના નાનાભાઈ બાબુભાઈ નારણભાઈ ડાભીએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ કરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક કડિયા કામની મજૂરી કરતો હતો, અને હાલમાં તેને પૂરતા પ્રમાણમાં કામધંધો મળતો ન હોવાથી તેને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application