હાલ જાપાનના લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તેનું કારણ છે 7.6ની તીવ્રતાનો ભૂકંપ. જેમાં 30 લોકોના મોત થયા છે. જયા એક તરફ પહેલી જાન્યુઆરીના નવુ વર્ષ નવી આશા અને ઉમંગ સાથે આવ્યું, ત્યાં જાપાનમાં નવા વર્ષના 150થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનમાં આ પ્રકારે ભૂકંપના આચકા હાલ તો ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે સાઉથના અભિનેતા એનટીઆરએ આ માટે તેમની સંવેદના વ્યક્ત કરી પ્રાર્થના કરી છે.
અભિનેતા જુનિયર એનટીઆરએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી તેમની સંવેદના વ્યક્ત કરી હતી. જેમાં તેમણે જાપાનના લોકો માટે પ્રાર્થના કરી છે અને તેમને પ્રોત્સાહિત કર્યા છે. અભિનેતાએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, હું જાપાનથી પરત ફર્યો છું અને ત્યાં ભૂકંપ વિશે સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત છું. મેં મારું આખું સપ્તાહ ત્યાં વિતાવ્યું છે અને આ ભૂકંપથી પ્રભાવિત ત્યાં રહેતા લોકો માટે હું લાગણીશીલ છું. હું ત્યાંના લોકોની સ્થિતિસ્થાપકતાથી પ્રભાવિત થયો છું અને આ નુકસાનમાંથી તેઓ ઝડપથી બહાર આવે તેવી શુભેચ્છા પાઠવું છું.
આપને જણાવી દઇએ કે અભિનેતા જુનિયર એનટીઆર થોડા સમય પહેલા હૈદરાબાદ એરપોર્ટ પર તેના પરિવાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા જાપાન ગયા હતા. તેમણે ત્યાં ખૂબ આનંદ કર્યો પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ જુનિયર એનટીઆર જાપાનની સ્થિતિ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ત્યાંના લોકોની સુરક્ષા માટે પણ પ્રાર્થના કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech