અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે. જેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ તો રામભક્ત હનુમાનજીના મંદિરે પણ ભક્તોની ભીડમાં વધારો થઇ ગયો છે. એમ પણ કહેવાય છે કે જો તમારે ભગવાન શ્રીરામના દર્શન કરવા હોય અને તેમના આશીર્વાદ મેળવવા હોય તો સૌથી પહેલા તમારે તેમના સેવક હનુમાનજીના હનુમાનગઢી ખાતે દર્શન કરવા પડે. હનુમાનજીની આજ્ઞા લઇને ભગવાન શ્રીરામના દર્શન કરો અને ત્યારે સાચા મનથી કરેલી તમારી ઇચ્છા પૂરી થશે. કારણ કે ભગવાન હનુમાનજી અયોધ્યામાં કોટવાલના રૂપમાં બિરાજમાન છે જેમની પૂજા અવિરતપણે ચાલુ રહે છે.
આપને જણાવી દઇએ કે દરરોજ લાખો ભક્તો હનુમાનગઢી પહોંચીને હનુમાનજીના દર્શન અને પૂજા કરી રહ્યા છે. હનુમાનજીને લાડુ સૌથી વધુ પસંદ છે. આથી, દરેક ભક્ત હનુમાનજીને અહીં લાડુ અર્પણ કરે છે. આ તરફ લાડુના વેપારીઓ ભક્તોની ભીડ જોઈને ખૂબ જ ખુશ છે. કેમ કે, ભક્તોની ભારે ભીડથી તેના વેપારધંધા પણ ધમધમી રહ્યા છે.
આગામી 22 જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે ભક્તોની સંખ્યા ચાર ગણી વધવા અંગે વેપારીઓનું અનુમાન છે. તેથી જ્યારે ભક્તોની સંખ્યા વધશે ત્યારે વેપાર પણ એટલો જ ઝડપભેર વધશે. જેના માટે દુકાનદારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વધતા જતા ભક્તોને જોઈને દુકાનદારો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છે અને હવે તેઓ 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામના મંદિરમાં બિરાજમાન થવાની રાહ જોઈ રહ્યા છે.
હનુમાનગઢીના પૂજારીએ આ અંગે જણાવ્યું કે જે ભક્તો ભગવાન હનુમાનના દર્શન કરવા આવતા હતા તેમની સંખ્યામાં હાલ દસ ગણો વધારો થયો છે. મંદિરના નિર્માણની સાથે સાથે અહીં વ્યાપાર પણ વધી રહ્યો છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસો અયોધ્યાના લોકો માટે, અયોધ્યાના મઠો અને મંદિરો માટે તેમજ વેપારીઓ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આગામી દિવસોમાં અયોધ્યામાં ભક્તોનું ધોડાપૂર ઉમટી પડવાનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech