જાણો લોકસભા ચૂંટણી માટે શિવસેના ઉદ્ધવ જૂથે કેટલી બેઠકોની માંગ કરી ?

  • December 22, 2023 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયા એલાયન્સની દિલ્હી બેઠક બાદ સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે સીટ શેરિંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને લઈને સીટ શેરિંગ પર ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે.  હવે ટૂંક સમયમાં સીટ વહેંચણીનો આંકડો પણ જાહેર કરવામાં આવશે. આ સાથે જ તેમણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર પણ નિશાન સાધ્યું છે.

સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કોઈપણ નેતા નિવેદન આપતા હોય છે, ત્યારે કોંગ્રેસ ઈચ્છે તો મહારાષ્ટ્રમાં 48 સીટો પર ચૂંટણી લડી શકે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, શિવસેના હંમેશા મહારાષ્ટ્રમાં માત્ર 23 સીટો પર ચૂંટણી લડતી રહી છે. તેથી અમારી પાર્ટીએ ફરીથી 23 સીટોની માંગણી કરી છે.
​​​​​​​

ખડગે અને સોનિયા-રાહુલ સાથે વાતચીત થઈ

શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે ઈન્ડિયા એલાયન્સની બેઠક પહેલા અમારી પાર્ટીના નેતા ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ વાત કરી. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીને લઈને તેમની સાથે વિગતવાર ચર્ચા થઈ છે.

સંજય રાઉતે કહ્યું કે આ બેઠકોમાં નક્કી થયું હતું કે મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણીને લઈને જે પણ થશે તેનો નિર્ણય દિલ્હીમાં થશે તેમ છતાં કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્રમાં નિવેદનો આપતા રહે છે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો કોઈ નેતા નથી જે નિર્ણય લઈ શકે. કારણ કે તેમને દિલ્હી વારંવાર પૂછવું પડે છે. આથી વધુ સારું એ છે કે આપણે દિલ્હી આવીએ અને બેસી આ મુદ્દે ચર્ચા કરીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application