ઉત્તર કોરિયાએ ફરી એકવાર દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા તરફ 200 બોમ્બ ફેંક્યા. સિઓલના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી હતી કે આ ક્રિયાઓથી શાંતિ જોખમાય છે અને તે સખત જવાબ આપશે. દક્ષિણ કોરિયાએ આ પગલાની નિંદા કરતા તેને 'ઉશ્કેરણીજનક કાર્યવાહી' ગણાવી છે.
અહેવાલ મુજબ હુમલો થયો ટાપુઓના રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્યોંગયાંગમાં કિમ જોંગ ઉનના શાસનની વારંવારની ચેતવણીઓ અને આ પ્રકારે હુમલા સૂચવે છે કે તે દક્ષિણ કોરિયા અને તેના યુએસ સામે યુદ્ધ માટે તૈયાર છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ઉત્તર કોરિયાની સૈન્યએ આજે સવારે લગભગ 09:00 થી 11:00 દરમિયાન બ્યુંગન્યોંગ ટાપુના ઉત્તરીય ભાગમાં જંગસન-ગોટ અને યેઓનપ્યોંગના ઉત્તરીય વિસ્તારોમાં 200 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરી હુમલો કર્યો હતો.”
મંત્રાલયે ક્ષણો પછી એક નિવેદન બહાર પાડીને કહ્યું, "આ એક ઉશ્કેરણીજનક કૃત્ય છે જે કોરિયન દ્વીપકલ્પ પર શાંતિને જોખમમાં મૂકે છે. અમે ચેતવણી આપીએ છીએ કે ઉત્તર કોરિયા આ વધતી કટોકટી માટે સંપૂર્ણ જવાબદારી સહન કરે અને તેમને આ ક્રિયાઓ તાત્કાલિક બંધ કરવા સુચન કરીએ છીએ, અમારૂ સૈન્ય યુનાઇટેડ સ્ટેટ્સ સાથે નજીકના સંકલનમાં પરિસ્થિતિ પર નજીકથી નજર રાખે છે અને ઉત્તર કોરિયાની ઉશ્કેરણીઓના જવાબમાં યોગ્ય પગલાં લેશે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર્મી ચીફ બન્યા બાદ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની એલઓસીની પ્રથમ મુલાકાત
July 03, 2024 05:49 PMશું પાકિસ્તાનમાં સ્મશાન છે?હિન્દુ ધર્મના લોકો ત્યાં અંતિમ સંસ્કાર કરે છે કે...
July 03, 2024 05:31 PMબિહારમાં છેલ્લા 24 કલાકમાં 4 બ્રિજ ધરાશાયી
July 03, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech