પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓની સ્થિતિ કોઈનાથી અજાણ નથી. ઘણા રિપોર્ટમાં પાકિસ્તાનમાં હાજર લઘુમતીઓની ખરાબ હાલત વિશે જણાવવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ પર સૌથી વધુ અત્યાચાર થાય છે.જેમાં ધર્મ પરિવર્તનથી લઈને સામાજિક દમન સુધીના મુદ્દા સામેલ છે. પાકિસ્તાનમાં હાજર હિન્દુ ધર્મના લોકો કેવી રીતે અંતિમ સંસ્કાર કરે છે? શું ત્યાં કોઈ સ્મશાન છે?
પાકિસ્તાનના કરાચી શહેરમાં હિન્દુ ધર્મના સૌથી વધુ લોકો રહે છે. કરાચીના ઉપનગર લ્યારીમાં હિન્દુઓ માટે સૌથી મોટું સ્મશાન બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે હિન્દુઓના અંતિમ સંસ્કાર માટે કેટલાક જિલ્લામાં જમીન આપી છે પરંતુ કરાચી સહિત અન્ય શહેરોમાં રહેતા હિન્દુ ધર્મના લોકો સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવા સક્ષમ નથી. તેની પાછળનું કારણ હિન્દુઓની અંતિમ સંસ્કારની તમામ વિધિઓ માટે સામગ્રી ન મળવાની મજબૂરી અને મોંઘવારી છે. આ કારણથી હિંદુઓ પણ મૃતદેહોને દફનાવે છે. જો કે હિન્દુ મૃતદેહોને મુસ્લિમની રીતે નથી દફનાવવામાં આવતા. હિંદુઓ મૃતદેહને બેઠેલી સ્થિતિમાં એટલે કે પગ વાળીને બેસાડીને દફનાવે છે. હિન્દુ ધર્મમાં તેને ધ્યાન મુદ્રા કહેવામાં આવે છે. આ માટે મુસલમાનોની જેમ કબરને બદલે એક ગોળ ખાડો ખોદીને તેની ઉપર શંકુ આકારની કબર બનાવવામાં આવી છે.
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ છે?
2017ની વસ્તી ગણતરીના પરિણામો અનુસાર અહીં 1.6 ટકા હિંદુઓ, 1.6 ટકા ખ્રિસ્તીઓ, 0.2 ટકા અહમદી મુસ્લિમો અને 0.3 ટકા અન્ય વસ્તી છે. જેમાં બહાઈઓ, શીખો અને પારસીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે.
પાકિસ્તાનમાં હિંદુઓ સિવાય અન્ય ધર્મના લોકોને પણ અગ્નિસંસ્કારને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માહિતી મુજબ, પાકિસ્તાન સરકારે ખ્રિસ્તી, પંજાબી અને હિન્દુ ધર્મના લોકોને અંતિમ સંસ્કાર માટે જમીન આપી છે પરંતુ વસ્તીના હિસાબે તે જમીન ઘણી ઓછી અને દૂર અંતરે આવેલી છે. તેથી લઘુમતી સમુદાયને અંતિમ સંસ્કાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પાકિસ્તાનમાં અંતિમ સંસ્કારની વસ્તુઓ પણ સરળતાથી મળતી નથી. જેના કારણે ત્યાંના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે સ્થિતિ એવી છે કે હિન્દુઓ સહિત અન્ય ઘણા ધર્મોના લઘુમતી લોકો તેમના પ્રિયજનના મૃત્યુ પછી દફનાવે છે. જો કે દફન કરવાની આ પદ્ધતિ મુસ્લિમો કરતા અલગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીએસટી અપિલેટમાં અપીલના ફિઝિકલ ફાઈલિંગની જોગવાઈની આશા રાખતા વેપારીઓ તથા સલાહકારો
April 29, 2025 02:44 PMગીરગંગા ટ્રસ્ટના કાર્યની નોંધ લેતું કેન્દ્ર સરકારનું જળ બોર્ડ
April 29, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech