કર્ણાટકમાં લાપતા થયેલ જૈન સાધુ કામકુમાર નંદી મહારાજની હત્યા, આરોપીઓ પોલીસ સકંજામાં

  • July 08, 2023 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૈન સાધુ કામકુમાર નંદી મહારાજ ગત બુધવારથી ગુમ હતા. ગત ગુરુવારે જ ભક્તોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો જિલ્લાના ચિકોડી વિસ્તારનો છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને શંકાસ્પદની પૂછપરછ કરી. તેણે સંતની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી.


કર્ણાટકના બેલગામ જિલ્લામાં જૈન સાધુની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ ગત બુધવારથી ગુમ હતા. ગત ગુરુવારે જ ભક્તોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો જિલ્લાના ચિક્કોડી વિસ્તારનો છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને શંકાસ્પદની પૂછપરછ કરી. તેણે જૈન સાધુની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે આ કેસમાં વધુ એક વ્યક્તિ સંડોવાયેલો છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આચાર્ય શ્રી કમકુમાર નંદી મહારાજ છેલ્લા 15 વર્ષથી બેલગવી જિલ્લાના ચિક્કોડી તાલુકાના હિરેકોડી ગામમાં સ્થિત નંદીપર્વત આશ્રમમાં રહેતા હતા. દરમિયાન ગુરુવારે આચાર્ય કમકુમારાનંદી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીમપ્પા ઉગરેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જૈન સાધુ ગુમ થઈ ગયા છે.


ચિક્કોડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.શંકાના આધારે બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જૈન સાધુ કમકુમાર નંદી મહારાજની હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે જૈન સાધુ કમકુમાર નંદી મહારાજના મૃતદેહની શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application