ખંભાળિયા: રજાના દિવસોમાં પણ વીજ રીપેરીંગની ખાસ કામગીરીમાં કાર્યરત વિજ સ્ટાફ

  • January 16, 2023 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં શનિવારે મોટાભાગના નગરજનો તથા સ્થાનિક રહીશો પતંગ ઉત્સવની મોજ માણતા હતા, ત્યારે શહેરમાં બંધ કરવામાં આવેલા વીજ પુરવઠા વચ્ચે વીજ રીપેરીંગની કામગીરીમાં વીજ કર્મચારીઓ જોતરાયા હતા.


ખંભાળિયામાં પીજીવીસીએલ તંત્ર દ્વારા દર વર્ષે ઉતરાયણના દિવસે સાવચેતી સાથે જુના રીપેરીંગ કામ પૂર્ણ કરવા માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે. તે મુજબ શનિવારે પણ શહેરમાં સવારે નવેક વાગ્યાથી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. અગાઉના વર્ષોમાં પતંગની દોરીના કારણે વીજ અકસ્માત થયાના બનાવો બન્યા હતા. જેથી સાવચેતીને ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે.




આ સાથે શનિવારે ટેકનિકલ સ્ટાફની રજા રદ કરી અને જુદા જુદા વિસ્તારોમાં વિવિધ પ્રકારની રીપેરીંગ કે લાઇન બદલવા જેવી કામગીરી આ દિવસે કરાય છે. આમ, ઉત્સાહના પર્વમાં પણ પીજીવીસીએલનો ટેકનિકલ સ્ટાફ ફરજ પર રહ્યો હતો અને તેમને સોંપવામાં આવેલી કામગીરી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application