ખંભાળિયા નજીક પદયાત્રી સ્ટોલમાં કાનુની માર્ગદર્શન

  • March 04, 2023 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ખંભાળિયા નજીક આવેલા ખોડીયાર મંદિર ખાતે દ્વારકા પગપાળા જતા યાત્રાળુ માટે કાનૂની માર્ગદર્શન મળી તે હેતુસર લિગલ અવરનેસ સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યો હતો.



આ કેમ્પનું ઉદઘાટન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રિક જજ પી.એસ. કાલા તથા અન્ય ન્યાયાધીશશ્રીઓના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે લીગલ અવેરનેસ સ્ટોલમાં લોકોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારામાં આપવામાં આવતી કાનૂની માર્ગદર્શનની કામગીરીની માહિતી આપવામાં આવશે.


આ ઉપરાંત આ સ્ટોલમાં પદયાત્રીઓને બેસવાની તથા પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. લગભગ ૮ થી ૧૦ લાખ લોકો કે જે પદયાત્રાળુઓ દ્વારકા જઈ રહ્યા છે, તેમાંથી મહત્તમ લોકોને આ સેવાનો લાભ મળશે તેવા હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની સેવા સત્તા મંડળએ પ્રયત્નો હાથ ધર્યા છે. આ અંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એસ.એચ. બામરોટિયાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application