કપિલ શર્મા શોના એકટરે ફેસબુક પર લાઈવ આપઘાતના પ્રયાસથી ગર્લફ્રેન્ડે કહ્યું,“મરવા દો,હું એને...”

  • June 14, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કપિલ શર્મા શોમાં પોતાની કોમેડીનો જાદુ ફેલાવનાર જુનિયર અભિનેતા તીર્થાનંદે જ્યારે ફેસબુક પર લાઈવ જઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.આ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરતા હવે તીર્થાનંદ ખતરાની બહાર છે.


ટીવી ઈન્ડસ્ટ્રીમાં જુનિયર નાના પાટેકરના નામથી ફેમસ તીર્થાનંદ રાવે ફેસબુક પર લાઈવ થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તીર્થાનંદનો જીવ બચાવ્યો હતો. અભિનેતા હવે ખતરાની બહાર છે અને તેની સારવાર ચાલી રહી છે. તીર્થાનંદ કહે છે કે, હું ખરેખર હવે જીવવા માંગતો નથી. તે મહિલાના ત્રાસથી હું પરેશાન છું. જો પોલીસ સમયસર ન આવી હોત તો કદાચ હું હવે વાત પણ કરી રહ્યો ન હોત. જ્યારે પોલીસે અભિનેતાની ગર્લફ્રેન્ડને હોસ્પિટલમાં બોલાવવાની કોશિશ કરી તો તેણે કહ્યું કે તેને મરવા દો, હું તેને આ રીતે છોડીને જવાની હતી અને ફોન કાપી નાખ્યો.


તીર્થાનંદ કહે છે એ સ્ત્રીને લીધે હું ઘણા દિવસો સુધી મારા જ ઘરમાંથી બેઘર હતો. મેં લગભગ 10 થી 12 દિવસ ઘરની બહાર ફૂટપાથ પર મારી રાત વિતાવી છે. તેઓએ મારી સામે ખોટા કેસ કર્યા છે. હું તેને સતત કહેતો રહ્યો છું કે કેસ પાછો ખેંચીને મને બચાવો પણ તે સંમત નથી. તે ઇચ્છે છે કે હું મારા ઘરનો હિસ્સો તેને આપી દઉં અને મારી પાસે પૈસાની માંગણી કરી રહી છે. તાજેતરમાં મેં લગભગ એક લાખની કિંમતનો ફોન ખરીદ્યો છે અને તેને આપ્યો છે જેથી તે મારાથી છૂટકારો મેળવી શકે, પરંતુ તે એટલા થી પણ ન માની.


તીર્થાનંદની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. તીર્થાનંદે કહ્યું, ડોક્ટરો મને અહીં ત્રણ-ચાર દિવસ રાખવાના છે. હમણાં જ કેટલાક ચેકઅપ કરાવ્યા. શરીરમાં ઝેર હતું, જે સમયસર બહાર કાઢવામાં આવી લેતા હું બચી ગયો. હું મારા કાર્યોથી શરમ અનુભવું છું પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હું ઈચ્છું છું કે તે મહિલા મારો કેસ પાછો લઈ લે અને મને આ બધામાંથી મુક્ત કરે. તેના કારણે હું મારા કામ પર ધ્યાન આપી શકતો નથી. મારા બધા પૈસા પૂરા થઈ ગયા છે.


ગત સાંજે, તીર્થાનંદ રાવે, જે નાના પાટેકરના રૂપમાં કહેવાય છે, તેણે મીરા રોડ પરના તેના ફ્લેટમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તીર્થાનંદ ફેસબુક પર લાઈવ આવ્યો અને ખટનીલનું સેવન કરવા લાગ્યો અને એક મહિલા પર આરોપ લગાવવા લાગ્યો જેની સાથે તે લિવ-ઈન રિલેશનશિપમાં હતો. તીર્થાનંદના કહેવા પ્રમાણે, તે મહિલા તેના પર પૈસા માટે દબાણ કરી રહી છે અને તેણે અભિનેતા વિરુદ્ધ ખોટા કેસ કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application