ઝુલેલાલ ચાલીસા મહોત્સવ સંપન્ન….પુજ્ય ભહેરાણા યાત્રા નીકળી

  • August 28, 2023 12:47 PM 

જામનગર સિંધી સમાજ માં ઝુલેલાલ ચાલીસા મહોત્સવ સંપન્ન : પુજ્ય ભહેરાણા યાત્રા નીકળી

શાસ્ત્રોક્ત મુજબ : જલ અને જ્યોતિ નો સંગમ ત્યાં સાક્ષાત ઝુલેલાલ હાજર તે પળનો સૌ એ સ્વર્ગ માણ્યો 

જામનગર સિંધી સમાજ માં તારીખ 16 જુલાઈ થી પ્રારંભ થયેલ ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ ચાલીસા વ્રત ની તારીખ 25 ઓગસ્ટ ના શમી સાંજે મોટી સંખ્યા માં સૌ જ્ઞાતિજનો મળી પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) અને  વ્રત ની મટકી સાથે પગપાળા યાત્રા યોજી ડી.જે નાં તાલ સાથે સૌ મળી "આયોલાલ ઝુલેલાલ" ના નારા સાથે સરઘસ નીકળી આ સરઘસ માં ભકતજનો દ્વારા માથા પર પ્રજ્વલિત પુજ્ય ભહેરાણા સાહેબ અને ચાલીસા વ્રત ની મટકી રાખી શહેર ના નાનક પુરી સ્થિત સંત કંવરરામ મંદિર થી પ્રારંભ થઈ પવનચક્કી - ઓશવાળ હોસ્પિટલ સર્કલ -  સુમેરકલબ રોડ - તળાવ ની પાળ મુખ્યશહેરમાર્ગ પર ફરી મિગ કોલોની ખાતે આવેલ તળાવ કાંઠે વાજતે વાજતે પૂર્ણ કરવામાં આવી.

આ સરઘસ યાત્રામાં મસ્તકે રાખેલ પુજ્ય ભહેરાણા સાહેબ(ઝુલેલાલ જ્યોત) ની રોશની થી માર્ગો પર રોશની ઝળહળી ઉઠી હતી. સમગ્ર સરઘસ યાત્રા માં સૌ ધર્મપ્રેમી  જ્ઞાતિજનો દ્વારા ઇષ્ટદેવ ઝુલેલાલ જી ની આસ્થા એ" ઝૂલે તેરા ઝંડા - અમર તેરી જ્યોત" નો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. અંતે સૌ મળી વિધી વિધાન સાથે તળાવ કાંઠે પુજ્ય ભહેરાણા સાહેબ ની વિધિ કરી આરતી પલ્લવ બાદ પુજ્ય ભહેરાણા સાહેબ ને જલ પરવાન કરી ચાલીસા મહોત્સવ વ્રત ના સંકલ્પ છોડી પુનઃ સાંસારિક જીવનકાળ માં પુનઃ ફર્યા હતા. આ તકે બહોળી સંખ્યા માં નાના ભૂલકાઓ સહિત ભાઈઓ બહેનો વડીલો જોડાયા હતા અને ચાલીસા વ્રત ની શાસ્ત્રોતક વિધિ કરી વ્રત ની સમાપ્તિ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application