મોરબી ઝુલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે ત્યારે ૨૦ દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી છે.
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના સમયથી ફરાર રહેલા જયસુખભાઈ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કરતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસે આરોપીનો કબજો મેળત્તી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી તેમને સબ જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે ૨૦ દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી છે. મોરબી મોરબીની કોર્ટમાં જયસુખભાઈ પટેલે વચગાળાની જામીન માટે અરજી કરી છે જેમાં તેમના તરફેના વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે હાઈકોર્ટ દ્વારા પીડિતોને વળતર ચૂકવવા જે આદેશ કરાયો છે જેના માટે તેઓને બેન્કના કામકાજ સબબ બહાર નીકળવું પડે તેમ હોય જેથી વચગાળાના જામીન આપવામાં આવે તેવી અરજી કરી છે ત્યારે કોર્ટે દલીલો સાંભળી વધુ સુનાવણી તા.૪ માર્ચના રોજ મુકરર કરી છે અને હવે તા.૪ માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech