શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ભારતનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પોતાની પીઠની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તેને શ્રીલંકા સામેની ત્રણ વન-ડે મેચની સીરિઝ માટેની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શ્રીલંકા સામે ટી20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી ત્યારે બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને સામેલ કર્યા ન હતા. જેના કારણે તેમની ફિટનેસ સામે સવાલો ઊભા થયા હતા. જોકે, બોર્ડના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે બંને ખેલાડી ફિટ છે પરંતુ બોર્ડ તેમના પુનરાગમનને લઈને કોઈ ઉતાવળ કરવા ઈચ્છતું નથી. જોકે, મંગળવારે બોર્ડે જાહેર કર્યું છે કે બુમરાહ શ્રીલંકા સામેની વન-ડે સીરિઝમાં રમશે.
જસપ્રિત બુમરાહને સપ્ટેમ્બરમાં પીઠની ઈજા થઈ હતી. સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી સીરિઝ દરમિયાન તેને ઈજા થઈ હતી. જેના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં પણ રમી શક્યો ન હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જણાવ્યું છે કે, જસપ્રિત બુમરાહ રિહાબમાંથી પસાર થયો છે અને નેશનલ ક્રિકેટ એકેડેમીએ તેને ફિટ જાહેર કર્યો હતો. તે ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાગઠીયા એટલો પૈસાદાર બન્યો તો ભાજપના નેતાઓ કેટલા પૈસાદાર હશે ? : ગાયત્રીબા વાઘેલા
July 03, 2024 07:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech