રાજકોટથી ઝડપાયેલા આતંકીઓનો ટાર્ગેટ હતો જન્માષ્ટમીનો પર્વ : ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો

  • August 03, 2023 08:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ATSએ રાજકોટમાંથી ઝડપી પાડેલા આતંકીઓની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. આંતકીઓની ગુજરાતમાં આગામી સમયમાં જન્માષ્ટમીની મોટી યોજના હતી. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ છે, લાખોની સંખ્યામાં લોકો પર્યટન સ્થળો, મંદિરો અને લોકમેળામાં ઉમટી પડતા હોય છે. ત્યારે આંતકીઓ આ તહેવારને ટાર્ગેટ બનાવી રહ્યા હતા. હાલ એટીએસના અધિકારીઓ દ્વારા 12 જેટલા શખ્સોને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં આ વિગતો બહાર આવી રહી છે સાથે જ તેમના મોબાઈલ ફોનની તપાસ કરી અન્ય કેટલા લોકોના સંપર્કમાં હતા તે પણ તપાસ કરી રહી છે.




જન્માષ્ટમીના તહેવારમાં આતંકી હુમલો થાય એ પહેલા જ એટીએસ દ્વારા આતંકીઓને ઉઠાવી લેવામાં આવતા આમ તો હાંશકારો બોલ્યો છે પરંતુ તેમ છતાં આગામી દિવસોમાં સાવચેતી રાખવી હતી આવશ્યક બની જાય છે. ઉલ્લેખનીય છે કે આ આતંકીઓ છ મહિનાથી વધુ સમયથી રાજકોટ શહેરમાં રહેતા હતા અને હજુ થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા આવ્યા હતા. છ મહિનાથી વધુ સમયથી રહેતા હોવા છતાં આ આતંકીઓની સહેજ પણ જાણ રાજકોટ શહેર પોલીસને થઈ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application