સમગ્ર ગુજરાતની સાથે સાથે હાલારના બંને જિલ્લાઓમાં પણ રવીવારે ચૂંટણી પ્રચારના પડધમ શાંત થયા
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની જુદી જુદી ચાર ટીમો ને ચૂંટણી લક્ષી પ્રચાર સાહિત્ય દૂર કરવા માટે દોડતી કરાવાઈ
લોકસભા- ૨૦૨૪ ની ચૂંટણી ના સમગ્ર ગુજરાત સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રવિવારે સાંજે ૫.૦૦ વાગ્યાથી પ્રચાર પડધમ શાંત થયા છે, અને જામનગરના શહેરી વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની જુદી જુદી ચાર ટુકડીઓ દ્વારા જાહેરમાં ચૂંટણી પ્રચાર નું સાહિત્ય દૂર કરવા માટેની ટીમને દોડતી કરાવવામાં આવી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભા-૨૦૨૪ ની ચૂંટણી ની પ્રક્રિયાઓ પૂર્ણ થવા જઈ રહી છે, અને રવિવારે સાંજે ૫.૦૦ વાગ્યાથી જાહેર પ્રચાર પડધમ શાંત થયા છે. જેની અમલવારી હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કરાઈ રહી છે, અને ચૂંટણી તંત્ર સતર્ક બન્યું છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ૬.૬ કર્મચારીઓ સાથેની અલગ અલગ ૪ ટીમોને દોડતી કરાવાઇ છે, અને શહેરના જુદા જુદા ચાર ઝોન પાડીને જયાં પણ ચૂંટણી પ્રચાર ને લગતું સાહિત્ય બેનર, પોસ્ટર, ઝંડા, હોર્ડિંગ,તોરણ વગેરે સાહિત્ય જાહેરમાં દેખાય તો તે ઉતારી લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રત્યેક ટીમોમાં એક એક મોટા ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત, ઉપરાંત સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, અનવરભાઈ ગજણ સહિત ના અધિકારીઓની રાહબરી હેઠળ ચૂંટણી પ્રચાર પ્રસારને લગતું સાહિત્ય દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech