રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટમાં જામનગરના ૯૦% અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડીની પસંદગી

  • January 25, 2023 12:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેરાલિમ્પિક વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા.૦૨ ફેબ્રુઆરીથી ૦૫ ફેબ્રુઆરી સુધી પેરિયાર માનામઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ  ટેક્નોલોજી ગ્રાઉન્ડ, તંજાવુર, તામિલનાડુ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાશે. આ પ્રતિયોગિતામાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના ૯૦% અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી શિવદાસભાઈ આલસુર ગુજરીયાની ગુજરાતની ટીમમાં પસંદગી થવા પામી છે. તેમના અથાક પ્રયત્નો અને મહેનતના પગલે ગુજરાત રાજ્યમાંથી તેમની પસંદગી થવા પર જામનગરનું ગૌરવ વધાર્યું છે.


આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જિલ્લા રમત ગમત અધિકારી, દિવ્યાંગ મહિલા અધિકારી સમિતિના પ્રમુખ પ્રફુલાબેન મંગી તેમજ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ,  જામનગરના સમગ્ર સ્ટાફ વતી ખેલાડી શિવદાસભાઈને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમ દિવ્યાંગ પ્રમુખ સતારભાઈ એમ. દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application