જગદ્ગુરૂ શંકરાચાર્યજીના હસ્તે સિદ્ધેશ્ર્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

  • February 07, 2023 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં દરેડ ખાતે સિદ્ધેશ્ર્વર મહાદેવ, પંચદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં યોજાયો હતો. તા.રથી ૪ દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં શંકરાચાર્ય પૂ.સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વરદ્ હસ્તે આ મહોત્સવ ઉજવાયો હતો જેમાં શંકરભગવાન, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી રાજરાજેશ્ર્વરી ત્રિપુરા સુંદરી દેવી, શ્રી ગણપતિજી મહારાજ, શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિઓનું સ્થાપન શાસ્ત્રોકત વિધિથી કરવામાં આવ્યું હતું. સ્વ.દૂર્લભરામ સુંદરજી ખેતિયા પરિવારના મહેન્દ્રભાઈ, મોહનભાઈ, દિનેશભાઈ, વિષ્ણુભાઈ, અશોકભાઈ, શૈલેષભાઈ સહિત કુટુંબીજનોના સહકારથી મંદિર તેમજ જમીનનો તમામ ખર્ચ ખેતિયા પરિવારે ઉઠાવ્યો હતો. આ પ્રસંગે શંકરાચાર્યજીના નીજી સચિવ બ્રહ્મચારી પૂ. સુબુધાનંદજી મહારાજ અને શારદાપીઠના પ્રતિનિધિ પૂ.બ્રહ્મચારી નારાયણનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યાં હતાં.

​​​​​​​બ્રહ્મ એજ્યુ.ના ગુણવંતભાઈ ભટ્ટ, બીપીનભાઈ પુંજાણી તેમજ મધુભાઈ ચોવટિયા સહિતના અગ્રણીઓએ પૂ.ગીરીબાપુની શિવ કથામાં પણ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application