નૌકાદળનો ભાગ બની INS ઈમ્ફાલ, જાણો આ વોર શીપના નામ પાછળનું ઐતિહાસિક રહસ્ય

  • December 26, 2023 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે દેશને નવી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS ઈમ્ફાલ મળી છે. તેનું કમિશનિંગ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં થયું છે. ભારતીય નૌકાદળની તાકાતમાં મોટો વધારો થયો છે. INS ઈમ્ફાલથી પશ્ચિમી નૌકાદળ મજબૂત થશે. તેને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવશે. આ જહાજ 75 ટકાથી વધુ સ્વદેશી મશીનરીથી બન્યું છે. આ જહાજમાં મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો છે.


INS ઈમ્ફાલનું નિર્માણ 19 મે 2017થી શરૂ થયું હતું. આ જહાજને 20 એપ્રિલ 2019ના રોજ પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યું હતું. યુદ્ધ જહાજનું પ્રથમ પરીક્ષણ 28 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવ્યું હતું. તેના પરીક્ષણ માટે એક વ્યાપક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. તેને છ મહિનાની રેકોર્ડ સમયમર્યાદામાં 20 ઓક્ટોબર 2023ના રોજ સેનાને સોંપવામાં આવી હતી.


નવેમ્બર 2023માં યુદ્ધ જહાજમાં ફીટ કરાયેલી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે બ્રહ્મોસ મિસાઈલનું યુદ્ધ જહાજથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે હજુ સુધી નેવીમાં નથી. આ યુદ્ધ જહાજમાંથી છોડવામાં આવેલી બ્રહ્મોસ મિસાઈલ 90 ડિગ્રી પર ફરવા અને દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે.


આ જહાજના સામેલ થવાથી નૌકાદળની તાકાતમાં વધારો થવાની આશા છે. એક તરફ પાકિસ્તાન અને બીજી બાજુ ચીન. આ યુદ્ધ જહાજ બંને તરફથી આવતા ખતરાનો સામનો કરવામાં સક્ષમ હશે. તેનું નામ બીજા વિશ્વયુદ્ધમાં ઇમ્ફાલના યુદ્ધના શહીદોની યાદમાં રાખવામાં આવ્યું હતું. આ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર-પૂર્વના કોઈ શહેર પર રાખવામાં આવ્યું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મણિપુરના યોગદાન માટે આ સૌથી મોટું સન્માન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application