કૃષિમંત્રી દ્વારા મુંગણી ગામે રિનોવેટેટ તળાવનું લોકાર્પણ

  • January 26, 2023 10:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર તાલુકાના મુંગણી ગામ ખાતે રૂ.૨૩.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું હતું. તેમજ જામનગર તાલુકાના અન્ય ગામ વિજરખીમાં નવનિર્માણ પામતા વૃદ્ધાશ્રમનું ભૂમિ પૂજન કર્યું હતું.


આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત વિકાસ કરી રહી છે. ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે હવેથી દરેક ઋતુમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે. મુંગણી ગામમાં પૂરથી જૂના તળાવને નુકસાન થયું હતું. જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવામાં આવ્યું છે. જેથી ગ્રામજનોને કિંમતી પીવાનું પાણી ઉપલબ્ધ બની રહે.





કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિઠ્ઠલભાઈ કણજારીયા, જામનગર તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ વિપુલસિંહ જાડેજા, મુંગણી ગ્રામ ઉપસરપંચ દીપસંગ કંચવા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ખાંટભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application