પાણી બચાવવા રાજકોટના નીલ અને રિતિકા બંને ભાઈ-બહેનએ સાથે મળીને બનાવ્યો ‘વોટર સેવિંગ પ્રોજેકટ’..

  • March 22, 2023 06:25 PM 

રાજકોટના નીલ અને વ્રિતિકા છેલ્લા 5 વર્ષથી પાણી પર સંશોધનો અને પ્રોજેક્ટ બનાવે છે. તેઓ જણાવે છે કે, ભારતમાં જે વરસાદ પડે છે તેમાંથી 60થી 70% રેઈન વોટર વેસ્ટેજ થઇ સમુદ્રમાં, રણમાં અને ગટરોમાં વહી જાય છે. બંને વિદ્યાર્થીનો સંકલ્પ છે કે આ 60થી 70% રેઇન વોટર વેસ્ટેજ જાય છે તેને સંચય કરાવીએ. આ માટે તેઓ ઘણા સમયથી સ્કૂલો, સભાઓ, જાહેર પ્રોગ્રામ્સ વગેરેમાં જઈ લોકોને રેઈન વોટર હાર્વેસ્ટિંગ વિશે સમજાવે છે. નીલ અને વ્રિતિકાના એક સર્વેક્ષણ મુજબ જો કોઈ મકાન 120 વારમાં છે તેમાં રફલી રેઈન વોટર હાર્વેસ્ટિંગ થાય તો 1 ઈચ વરસાદે 4000થી 5000 લિટર પાણી જમીનમાં ઉતરે. આપણા દેશના સ્વીટ વોટર એટલે કે સમુદ્ર સિવાયના પાણી મેઈન સ્ટ્રીમ નદી, તળાવો 46% પોલ્યૂટેડ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application