જમ્મુ કાશ્મીર : પુલ તૂટતા મેળામાં આવેલા શ્રદ્ધાળુઓ નદીમાં ખાબક્યા, 45થી વધુ ઘાયલ, બચાવ કામગીરી શરુ

  • April 14, 2023 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



​​જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં વૈશાખી મેળા દરમિયાન મોરબી જેવી જ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નદી પરનો લોખંડનો પુલ તૂટવાથી 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ સ્થાનિક પોલીસ-પ્રશાસનને અકસ્માતની જાણ કરી હતી. ઉતાવળમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકો સાથે મળીને ઘાયલોને પુલ નીચેથી બહાર કાળી હોસ્પિટલ લઇ જવાની કામગીરીમાં જોડાયા છે.

સેંકડો લોકો અહીં બૈસાખીના તહેવારની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. જિલ્લાના ચૈનાની તાલુકામાં બિનસાંગ ખાતે નદી પરનો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.


સ્થાનિક પોલીસકર્મીઓ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેઓને બચાવી લેવામાં આવ્યા છે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, બૈસાખી નિમિત્તે બૈન ગામના બેની સંગમ ખાતે મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા માટે આસપાસના ઘણા ગામોમાંથી લોકો એકઠા થાય છે.


જ્યારે લોકો અહીં સંગમ પર બનેલા પુલ પર ચઢી રહ્યા હતા, તે જ સમયે આ પુલ પડી ગયો. જેના કારણે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસ પ્રશાસનને ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ રાહત ટીમના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


પ્રાથમિક માહિતી મુજબ મેળામાં પુલ ધરાશાયી થયા બાદ 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. પ્રશાસન વતી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે લોકોને બચાવવાની કામગીરીમાં લાગેલી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application