J&K: A #footbridge collapsed during the #Baisakhi celebration at #BeniSangam in Bain village in #Udhampur's Chenani Block
— Shekhar Pujari (@ShekharPujari2) April 14, 2023
Six people were injured during the incident. A #RESCUE operation is underway. #Police and other teams have reached the site#JammuKashmir #baisakhifestival pic.twitter.com/b88Ksa15nb
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં વૈશાખી મેળા દરમિયાન મોરબી જેવી જ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નદી પરનો લોખંડનો પુલ તૂટવાથી 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ સ્થાનિક પોલીસ-પ્રશાસનને અકસ્માતની જાણ કરી હતી. ઉતાવળમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકો સાથે મળીને ઘાયલોને પુલ નીચેથી બહાર કાળી હોસ્પિટલ લઇ જવાની કામગીરીમાં જોડાયા છે.
સેંકડો લોકો અહીં બૈસાખીના તહેવારની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. જિલ્લાના ચૈનાની તાલુકામાં બિનસાંગ ખાતે નદી પરનો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
સ્થાનિક પોલીસકર્મીઓ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેઓને બચાવી લેવામાં આવ્યા છે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, બૈસાખી નિમિત્તે બૈન ગામના બેની સંગમ ખાતે મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા માટે આસપાસના ઘણા ગામોમાંથી લોકો એકઠા થાય છે.
જ્યારે લોકો અહીં સંગમ પર બનેલા પુલ પર ચઢી રહ્યા હતા, તે જ સમયે આ પુલ પડી ગયો. જેના કારણે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસ પ્રશાસનને ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ રાહત ટીમના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ મેળામાં પુલ ધરાશાયી થયા બાદ 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. પ્રશાસન વતી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે લોકોને બચાવવાની કામગીરીમાં લાગેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech