થોડા સમયથી રાજકોટ તથા ગુજરાત રાજયના વિસ્તારોમાં કન્જકટીવાઈટીસ (આંખનો ચેપી રોગ) જોવા મળે છે. આ "કન્જકટીવાઈટીસ (આંખનો ચેપી રોગ)" ની અસરોને દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ અને તમામ વિદ્યાર્થીઓનું આરોગ્ય જળવાઈ રહે અને તેઓ તમામ નિરોગી રહે એ અમારી પ્રાથમિકતા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ કન્જકટીવાઈટીસ (આંખનો ચેપી રોગ)ની અસરમાંથી મૂકત રહે અને કેમ્પસમાંથી આ રોગ સંપૂર્ણપણે નાબૂદ થાય એ માટે યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્રમાંથી જરુર મુજબ વિનામૂલ્યે આઈડ્રોપ્સ આપવાનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. હરીશ રૂપારેલીઆએ આ અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા કામકાજ અર્થે આવતા લોકોને "કન્જકટીવાઈટીસ (આંખનો ચેપી રોગ)" વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે એ માટે જનજાગૃતિના ભાગરુપે યુનિવર્સિટીના તમામ ભવનો, હોસ્ટેલો, મુખ્ય વહીવટી બીલ્ડીંગ, પરીક્ષા વિભાગ, સ્ટાફ કવાટર્સ પાસે તથા યુનિવર્સિટીના આંતરિક માર્ગો પર "કન્જકટીવાઈટીસ (આંખનો ચેપી રોગ)" ના લક્ષણો, તકેદારી તેમજ સારવાર વિસ્તૃત માહિતી સાથેના બેનર્સ લગાવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશઓને "કન્જકટીવાઈટીસ (આંખનો ચેપી રોગ)"ના લક્ષણો, તકેદારી તેમજ સારવાર માટેની માહિતી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા ઈમેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સ્વચ્છતા અને આરોગ્યની પૂરતી કાળજી લેવા માટે કર્મચારી અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય આજરોજ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech