હિમાલયન ગ્લેશિયર ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના અહેવાલ મુજબ ગ્લેશિયર્સ 2011 થી 2020 સુધીના પાછલા દાયકાની સરખામણીમાં 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યા છે.જેનું કારણ જળવાયુ પરિવર્તનને કહી શકાય.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સદીના અંત સુધીમાં ગ્લેશિયર્સ 80% સુધી પીગળી જશે. જો ગ્લેશિયર્સને બચાવા માટે ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ કસવામાં નહી આવે તો ઘણા ગ્લેશિયર્સ ગાયબ થઇ જશે.
હિમાલયન ગ્લેશિયર્સ એ પાણીનો વિશાળ ભંડાર છે જે ભારતના લાખો લોકોના જીવનને ટકાવી રાખે છે.તેમજ ઘણી હિમનદીઓ નીકળે છે.પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે મોટાભાગની હિમનદીઓ પીગળી રહી છે.
ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના અહેવાલ મુજબ ગ્લેશિયર્સ 2011 થી 2020 સુધીમાં પાછલા દાયકાની સરખામણીમાં 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યા છે.મુખ્ય લેખક ફિલિપ વેસ્ટરે જણાવ્યું હતું કે જે ઝડપે બરફ પીગળી રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. અનુમાન ન હતું કે ગ્લેશિયર્સ આટલા ઝડપથી પીગળશે.હિંદુકુશ હિમાલય ક્ષેત્રની વર્તમાન સ્થિતિના આધારે એવો અંદાજો લગાવામાં આવ્યો છે કે સદીના અંત સુધીમાં ગ્લેશિયર્સ તેમનો 80 ટકા વિસ્તાર ગુમાવી શકે છે.
આ ઉપરાંત વિજ્ઞાનીઓએ પણ ચેતવણી આપી હતી કે હિમાલયના ગ્લેશિયર્સ જે લગભગ બે અબજ લોકો માટે પાણી પ્રદાન કરે છે. તે જળવાયુ પરિવર્તનને કારણે પહેલા કરતા વધુ ઝડપથી પીગળી રહ્યા છે. હિમાલયના ગ્લેશિયર્સ પીગળવાને કારણે સમુદાયો અણધારી અને ખર્ચાળ આફતોનો સામનો કરી રહ્યા છે.હિમાલયના ગ્લેશિયર્સ ગંગા, સિંધુ, પીળી નદી, મેકોંગ અને ઇરાવદી સહિત વિશ્વની 10 મહત્વપૂર્ણ નદીઓને પાણી પૂરું પાડે છે. તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અબજો લોકો માટે ખોરાક, ઊર્જા, સ્વચ્છ હવા અને આવકનો સ્ત્રોત પણ છે.
ફિલિપ્સ વેસ્ટરે જણાવ્યું હતું કે ગ્લેશિયર્સને પીગળતા બચાવવા માટે તાત્કાલિક પગલાની જરૂર છે. જો ગ્લોબલ વોર્મિંગને નિયંત્રણમાં લેવા માટે ઝડપી પ્રયાસો કરવામાં નહીં આવે તો ઘણી હિમનદીઓ અદૃશ્ય થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech