ખંભાળીયાના ત્રણ લાખના ચકચારી લાંચ કેસમાં સરકારની નિષ્ક્રીયતા સામે હાઇકોર્ટની નારાજગી

  • March 23, 2023 07:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળીયાના સરકારી અધિકારી દ્વારા લેવામાં આવેલી રૂ. ત્રણ લાખની લાંચ લેવાના કેસમાં આરોપીને મળેલા આગોતરા જામીન રદ કરવા માટે સરકારે જાન્યુઆરી-૨૦૨૦માં અરજી કરેલી.


જો કે ત્રણ વર્ષ સુધી આ કેસ સુનાવણી પર ન આવતા, હાઇકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢઢતા સવાલ કરેલો કે ત્રણ વર્ષ સુધી સરકારે આ કેસમાં કેમ કંઇ કર્યુ નહીં ? પોલીસ તરફથી પણ આ કેસમાં યોગ્ય રીતે કોઇ ફોલોઅપ કરાયું નથી. આ પ્રકારની બેદરકારીને સ્વીકારી શકાય નહીં, જવાબદાર તંત્ર દ્વારા આ મુદે યોગ્ય પગલા લેવામાં આવે, હાઇકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, તેના આ આદેશની નકલ રાજયના કાયદા વિભાગ અને ગૃહવિભાગને મોકલવામાં આવે. 


કેસની વિગત જોઇએ તો, ભુતકાળમાં આરોપીએ કહેલું કે તેને જે પૈસા આપેલા છે તેની એન્ટ્રી ટેલીના સોફટવેરમાં છે અને તે કાયદેસરના છે . જેથી તેની સામે લાંચ લેવાનો કોઇ કેસ બનતો નથી, જેના આધારે હાઇકોર્ટે અરજદારને આગોતરા જામીન આપેલા, જો કે, તપાસ બાદ બહાર આવેલું કે આ એન્ટ્રી ખોટી છે.


આ કેસ નોંધાયા બાદ તેને ઉભી કરાયેલી છે, આ પછી સરકારે આરોપીના આગોતરા જામીન રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરેલી જો કે તેના પર ત્રણ વર્ષ સુધી કોઇ સુનાવણી જ થઇ નથી, જે મુદે હાઇકોર્ટે આકરી નારાજગી વ્યકત કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application