રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરના સુપ્રસિદ્ધ સપડા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દર્શન કરી વિકાસકાર્યોની સમીક્ષા કરી
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર સપડાની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંત્રીએ મંદિરના વિકાસ, યાત્રાળુઓ માટેની સુવિધાઓ, સ્વચ્છતા તેમજ આધુનિક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીએ મંદિરના વિકાસ અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે આગેવાનો, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.