પાલીતાણાના શેત્રુંજય મહાતીર્થ ઘટના અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી કડક પગલા લેવા કર્યો આદેશ

  • January 04, 2023 04:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પાલીતાણા મંદિરમાં ગત 17 ડીસેમ્બરના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જૈન મંદિર હુમલાની જાણ થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ઉચ્ચ પોલીસ આધિકારીઓની હાજરીમાં મિટિંગ બોલાવી હતી. આ મામલે સુપ્રસિદ્ધ પાલીતાણાના શ્રી શત્રુંજય મહાતીર્થમાં બનેલ ઘટના સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપી હતી. આ બેઠકમાં IG,SP સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. અને પોલીસ અધિકારીઓને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી.


શેત્રુંજય પર્વત વિવાદ પર ગૃહમંત્રીનું મોટુ નિવેદનઆ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પાલીતાણા એ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી.આ સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થા નું કેન્દ્ર છે. જેથી તમામ પ્રશ્નોમાં વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવીને મહત્વના કામો માટે પગલાં લેવામાં આવશે. કોઈ પણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે. અને વિડીયોમાં મહારાજ સાહેબ સાથે જે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેમની પર કડક પગલાં લેવામાં આવ્યા છે. 5 દિવસ પહેલાએ લોકોને પકડી પાડવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application